એક બાજુ જ્યારે ભારત કોરોના વાઇરસના સતત વધતા કેસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બીજી બાજુ ભારતીય આરોગ્યતંત્ર પોતાની જાતને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
કેટલાક લોકો માને છે કે કોરોના વાઇરસના કેસમાં અચાનક આવેલ રૅકર્ડ વૃદ્ધિ પાછળ એ રાજકીય પક્ષો જવાબદાર છે, જેમણે જોખમ હોવા છતાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી-મોટી સભાઓ યોજવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ કર્યો નથી.
જોકે, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી કહે છે કે કોરોના વાઇરસના વધતાં કેસ અને રાજકીય રેલી વચ્ચે કોઈ સંબંધ નથી.
HBN TV NEWS સાથેની વાતચીતમાં ભાજપના નેતા કોરોના વાઇરસના વધતાં કેસનો ધાર્મિક અથવા રાજકીય કારણોસર ભેગી થયેલ ભીડ સાથે કોઈ સંબંધ નથી.”
કોરોના મહામારી : ગુજરાતમાં રાજકીય પક્ષો રૂપાણી સરકારને ઘેરી રહ્યા છે?
સપ્ટેમ્બર 2020થી ભારતમાં કોરોના વાઇરસના કેસ ધીમે-ધીમે ઘટવા લાગ્યા હતા પણ ફેબ્રુઆરી 2021માં કેસમાં ઝડપથી વધારો થવાની શરુઆત થઈ હતી.
માર્ચમાં ચેપ એટલી ઝડપથી ફેલાયો કે પાછલાં વર્ષના બધા રૅકર્ડ તૂટી ગયા.માર્ચમાં જ્યારે કોરોના વાઇરસના કેસ રૅકર્ડ ઝડપથી વધી રહ્યા હતા ત્યારે ભારતના રાજકીય પક્ષો પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ અને તામિલનાડુમાં થનાર ચૂંટણીઓ માટે મોટી-મોટી સભાઓ કરી રહ્યા હતા.
માર્ચના આરંભથી ચૂંટણીસભાઓ શરૂ થઈ ગઈ હતી કારણકે માર્ચના છેલ્લા અઠવાડિયાથી લઈને સમગ્ર એપ્રિલ દરમિયાન મતદાન થવાનું હતું.
- દિલ્હી : ઓક્સિજન માટે દરદર ભટકતાં સ્વજનો અને દમ તોડતાં દર્દીઓની કરૂણ દાસ્તાન

ચૂંટણીસભાઓના કારણે કેસ વધ્યા?