બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તાજેતરમાં તેના હેરકટને લઇને ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પર પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે અંડરકટ કરાવ્યા છે. આ હેરકટમાં પાછળના અડધા વાળમાં મુંડન કરવામાં આવ્યું હતું. શિલ્પાના આ હેરકટ જોઇને તેના ફેન્સ તેને ડેરિંગ કરાર કરી હતી પરંતુ જણાવી દઇએ કે શિલ્પાએ આ હેરકટ કોઇ ટ્રેન્ડ ફોલો કરવા માટે નહોતો કર્યો પરંતુ તેની પાછળ એક ખાસ કારણ હતું. રિપોર્ટ અનુસાર શિલ્પાએ અંડરકટ એટલા માટે કરાવ્યા છે કારણ કે તેણે માનતા માની હતી કે જો પતિ રાજ કુંદ્રાને જામીન મળી જશે તો તે તેના માથાના વાળના કેટલાક ભાગમાં મુંડન કરાવી લેશે. રાજને જામીન મળ્યા અને પછી શિલ્પાએ તેની માનતાને પૂરી કરવા માટે વાળનો પાછળનો ભાગ મુંડાવી લીધો. રાજ કુંદ્રાને જામીન મળ્યાને એકા મહિના ઉપર સમય થઇ ગયો છે પરંતુ અત્યાર સુધી તે ક્યાંય જાહેરમાં દેખાયો નથી. હાલમાં પણ કરવાચોથ મનાવવા માટે પણ શિલ્પા બાળકો સાથે અલીબાગ રવાના થઇ ગઇ હતી પરંતુ ત્યારે પણ રાજ તેની સાથે જોવા મળ્યા નહોતો.
HBN TV NEWS
