સિદ્ધપુરની નગરપાલિકામાં વિકાસના કામોને લઈને હોબાળો, 4 સભ્યોએ રાજીનામાં આપ્યાં

Views 222

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની નગરપાલિકામાં વિવિધ વિકાસના કામોને લઇને હોબાળો થયો હતો. અને વોર્ડ નં-2 વિસ્તારમાં લાઈટ, પાણી, સફાઈ અને રોડનાં વિવિધ વિકાસલક્ષી કાર્યો ન થવાથી કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતાં છેવટે રાજીનામાં આપી દીધા હતા. જેમાં અપક્ષના 3 અને ભાજપનાં 1 એમ કુલ 4 કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધા હતા. આ કોર્પોરેટરોએ ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતાં હોય છે તેવાં આક્ષેપ પણ લગાવ્યો હતો. તેમજ વિકાસનાં કાર્યો કરવામાં વ્હાલા-દવાલીની નીતિ રખાતી હોય તેવાં આક્ષેપ પણ તેમણે મૂક્યાં હતાં. ચૂંટણી પહેલાં જ સિદ્ધપુરમાં કોર્પોરેટરોનાં રાજીનામાંથી રાજકારણ ગરમાયું છે.

  • રાજીનામું આપનાર વોર્ડ નં-2ના સદસ્યોનાં નામ

૧.વિકાસ અમરતભાઈ પ્રજાપતિ – અપક્ષ

૨.નિરમાબેન સેધુજી ઠાકોર – અપક્ષ

૩.નીતાબેન રમેશભાઈ પટેલ – અપક્ષ

૪.અપક્ષ દિનેશ કાંતિલાલ પટેલ – ભાજપ

રિપોર્ટર – સમા સદ્દામ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *