મણિપુરમાં સ્કૂલ બસ પલટી:15 વિદ્યાર્થીઓના મોત, 22 હોસ્પિટલમાં દાખલ; સ્ટડી ટૂર પર જઈ રહ્યા હતા

Views 120

મણિપુરના નોની જિલ્લામાં બુધવારે પ્રવાસ પર જઈ રહેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે. બસ થમ્બલાનુ હાયર સેકન્ડરી સ્કૂલ, યારીપોક જઈ રહી હતી. તે ખાપુમ તરફ ટૂર પર જઈ રહી હતી. 22 વિદ્યાર્થીઓને ઇમ્ફાલની મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે SDRF અને મેડિકલ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

બસમાં 36 વિદ્યાર્થીઓ સહિત ઘણા ટીચર્સ પણ હતા
બસમાં 36 વિદ્યાર્થી સહિત ઘણા ટીચર્સ પણ હતા. સ્ટડી ટૂર પર જતી વખતે બસ ઓલ્ડ કછાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. મૃતકોમાં 5 વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થાય છે. જાણકારી પ્રમાણે આ ઘટના સવારે 11:30 વાગે બની હતી. આ અકસ્માતની સૂચના મળતાં જ પોલીસે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જોકે અમુક રિપોર્ટ્સમાં બે બસનો અકસ્માત થઈ હોવાના કારણે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *