ભારતને અલગ પાડી દેવા માટે ચીને નેપાળને લલચાવવાનું કામ શરૂ કરી દીધું છે. પરિણામે ચીન, નેપાળને પોતાના ચાર બંદરોનો ઉપયોગ કરવાની પરવાનગી આપશે. નેપાળ સરકારે શુક્રવારે આ વાતની જાણકારી આપી. એમ પણ માનવામાં આવે છે કે ભારતના એકાધિકારને સમાપ્ત કરવા માટે નેપાળ બેઇજિંગ સાથે પોતાની નિકટતાઓ વધારી રહ્યું છે.
ચીન અને નેપાળ વચ્ચે કરાર
નેપાળ અને ચીનના અધિકારીઓએ કાઠમંડુમાં શુક્રવારે થયેલી એક મીટિંગમાં પ્રોટોકોલને અંતિમ રૂપ આપ્યું. આ હેઠળ નેપાળ હવે ચીનના શેનજેન, લિયાનયુગાંગ, ઝાજિયાંગ અને તિયાનજિન બંદરો ઉપયોગ કરી શકશે. તિયાનજિન બંદર નેપાળની સરહદથી સૌથી નજીકનું બંદર છે, જે આશરે 3000 કિમી દૂર છે. આ રીતે ચીને લંઝાઊ, લ્હાસા અને શિગાટ્સ લેન્ડ પોર્ટોં (ડ્રાઇ પોર્ટ્સ)નો ઉપયોગ કરવાની પરવાનગી પણ નેપાળને આપી દીધી.
ગયા બુધવાર અને ગુરૂવારે ટ્રાન્ઝિટ એન્ડ ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ડ સંબંધે થયેલી વાતચીત દરમિયાન એક વરિષ્ઠ અધિકારીએ જ નેપાળી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. મીટિંગ દરમિયાન બંને પક્ષોએ છ ચેકપોઇન્ટ્સથી ચીન પહોંચવાનો રસ્તો નક્કી કર્યો છે. શુક્રવારે આ એગ્રીમેન્ટ પર સહી કરવામાં આવી. ચીનના વડાપ્રધાન કેપી શર્મા ઓલીની માર્ચ 2016માં ચીન પ્રવાસ દરમિયાન જ આ કરાર પર સંમતિ બની હતી.
નેપાળ અને ચીનના અધિકારીઓએ કાઠમંડુમાં શુક્રવારે થયેલી એક મીટિંગમાં પ્રોટોકોલને અંતિમ રૂપ આપ્યું. આ હેઠળ નેપાળ હવે ચીનના શેનજેન, લિયાનયુગાંગ, ઝાજિયાંગ અને તિયાનજિન બંદરો ઉપયોગ કરી શકશે. તિયાનજિન બંદર નેપાળની સરહદથી સૌથી નજીકનું બંદર છે, જે આશરે 3000 કિમી દૂર છે. આ રીતે ચીને લંઝાઊ, લ્હાસા અને શિગાટ્સ લેન્ડ પોર્ટોં (ડ્રાઇ પોર્ટ્સ)નો ઉપયોગ કરવાની પરવાનગી પણ નેપાળને આપી દીધી.
ગયા બુધવાર અને ગુરૂવારે ટ્રાન્ઝિટ એન્ડ ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ડ સંબંધે થયેલી વાતચીત દરમિયાન એક વરિષ્ઠ અધિકારીએ જ નેપાળી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. મીટિંગ દરમિયાન બંને પક્ષોએ છ ચેકપોઇન્ટ્સથી ચીન પહોંચવાનો રસ્તો નક્કી કર્યો છે. શુક્રવારે આ એગ્રીમેન્ટ પર સહી કરવામાં આવી. ચીનના વડાપ્રધાન કેપી શર્મા ઓલીની માર્ચ 2016માં ચીન પ્રવાસ દરમિયાન જ આ કરાર પર સંમતિ બની હતી.