આજરોજ કોંગ્રેસ દવારા ગુજરાત બંધને લઈને પાટણ શહેરનું બજાર બંધ પાડવામાં આવ્યું હતું. કોંગ્રેસ દવારા મોંઘવારીના મુદ્દાને લઈને સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસ અને અન્ય ખાદ્યચીજ વસ્તુઓ ઉપર જે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે, તેના અનુસંધાને ગુજરાતમાં સવારે આઠ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી બજાર બંધ રાખવામાં આવ્યું હતું જેમાં પાટણના જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર અને વિપક્ષના નેતા પટેલ અશ્વિનભાઈ એ જણાવ્યું હતું કે જે પ્રમાણે મોંઘવારીએ માજા મૂકી છે અને સરકાર જનતાના માથે જે મોંઘવારીનો ભાર મુક્યો છે તો આવનાર 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર બનશે એવું પણ તેમણે જણાવ્યું હતું.
પટેલ અશ્વિનભાઈ કોંગ્રેસ.
રિપોર્ટર – નરપત સિંહ સોલંકી