પાલનપુરના વોર્ડ નં.7ના ઢુંઢિયાવાડી પાણીના ટાંકા પાસે બનશે કોમ્યુનિટી હોલ?…..
હજ્જારો રૂપિયાના ભાડાથી પાર્ટી પ્લોટ કે હોલનું ભાડું ચૂકવવામાંથી આ વિસ્તારના ગરીબ અને મિડલ કલાસ લોકોને મળશે મુક્તિ અને વ્યાજબી ભાડાએ ઉજવી શકશે પોતાના પ્રસંગો….
પાલનપુર નગરપાલિકા વોર્ડ નં.7 વિસ્તારમાં આવેલા ઢૂંઢિયાવાડી પાણીના ટાંકા પાસેની જમીનમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત આ વિસ્તારમાંથી ચૂંટાયેલા નગરપાલિકા સદસ્ય અને સ્ટ્રીટલાઈટ ચેરમેન ભારતી બી. ઠાકોર દ્વારા 19/9/2020 ના રોજ મળેલી કારોબારી સમિતિમાં લેખિતમાં કરેલ છે. જેમાં આ વિસ્તારમાંથી જ ચૂંટાયેલા તેમના સાથી સદસ્ય અને કારોબારી સમિતિના ચેરમેન શ્રી દશરથસિંહ સોલંકીએ સહમતી દર્શાવી હતી.
આજની મોંઘવારીમાં કોઈપણ પ્રસંગોની ઉજવણીઓ માટે શહેરના પાર્ટી પ્લોટ કે મોટા હોલ એ ગરીબ અને મિડલ કલાસ લોકોના ગજા બહારની બાબત બનતી જાય છે જેમાં પાલનપુરના પૂર્વ ઝોનમાં વોર્ડ નં.6ના દિલ્હીગેટ ઠાકોરવાસ અને વોર્ડ નં.3 ના વડલીવાળા પરા પાસે નગરપાલિકા દ્વારા બનાવેલ કોમ્યુનિટી હોલ તે વિસ્તારના ગરીબ અને મિડલ કલાસ લોકો માટે આશિર્વાદ સમાન બન્યો છે. એ જ રીતે પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના પશ્ચિમ ઝોનમાં પણ ઢૂંઢિયાવાડી પાણીના ટાંકા પાસેની નગરપાલિકાની આ જગ્યામાં કોમ્યુનિટી હોલ બનાવવાની આ રજુઆતના લીધે આ વિસ્તારના ગરીબ અને મિડલ કલાસ લોકોને પણ નજીવા કે નિયમોનુસારના ભાડાથી હોલ ઉપલબ્ધ થવાના લીધે તેમના કોઈપણ પ્રસંગોની ઉજવણીમાં આર્થિક બોજો ઓછો થશે અને સરળતા પણ રહેશે. ઉપરાંત આ જગ્યાને અડીને રહેતા માલેસલામવાસના રહીશોને શૌચાલય માટે ઘણી તકલીફો વેઠવી પડે છે અને તેના લીધે ઘણીવાર માલેસલામવાસની ગલી કે સમર્પણ ફ્લેટની આસપાસની ખુલ્લી જગ્યાઓમાં પણ ગંદકીનું પ્રમાણ વધવાથી લોકો ત્રસ્ત રહે છે જેના ઉપાયરૂપે આ કોમ્યુનિટી હોલના પાછળના ભાગે મહિલાઓ અને પુરુષો માટે ચાર શૌચાલયો પણ બનાવવામાં આવે તો ગંદકીની એ સમસ્યા કાયમી ખાતે હલ થવાની સાથે આ દેશના લોકલાડીલા માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનને પણ ખરા અર્થમાં ચરિતાર્થ કરી શકાશે.
અને તેથી આ બધી બાબતોના નિરીક્ષણ, અભ્યાસ, અને લોક રજુઆત ઉપરાંત લોક જરૂરિયાતને ધ્યાનમાં રાખી લોકહિતાર્થે આ કામ માટે ગ્રાન્ટ ફાળવવાની લેખિત રજુઆત ભારતી બી. ઠાકોર દ્વારા કરવામાં આવેલ છે. તે ઉપરાંત તેમણે તથા તેમના પતિ અને પૂર્વ નગર સેવક તથા હાલમાં પાલનપુર શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવતા ભરત ઠાકોરે આ સ્થળની મુલાકાત લઈ આ વિસ્તારના લોકોને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના નિઃશુલ્ક ફોર્મનું વિતરણ પણ કરેલ હતું અને ” અમે તો તમને આ ફોર્મ નિઃશુલ્ક આપીએ છીએ, પરંતુ તમે પણ તમારા જીવન દરમિયાન એકવાર માત્ર દસ રૂપિયા ખર્ચીને તેની દસ ઝેરોક્ષ કરાવી દસ પરિવારોને નિઃશુલ્ક આપશો અને તે દસ લોકોને પણ એ ફોર્મની બીજી દસ દસ કોપી કરાવી બીજા દસ પરિવારોને નિઃશુલ્ક આપવાના વચને બાંધશો અને આ સેવાકીય ચેઇન દ્વારા છેવાડાના લોકો સુધી આપણે સરકારની તમામ લોકકલ્યાણકારી યોજનાઓ પહોંચાડી અંત્યોદયની દિશામાં આગળ વધવાના આ અભિયાનમાં જોડવા તથા જોડાવા તમામ દેશવાસીઓને અપીલ કરી હતી કે
આપ પણ આપણાં દેશવાસીઓને પોતાની શક્તિ અને નોલેજ મુજબ એકબીજાના મદદરૂપ થઇ દેશને એક તાંતણે બાંધી અખંડ સ્વદેશ નવનિર્માણ વિઝન-2034ના આ અભિયાનમાં જોડાઈ દેશને સુપર પાવર બનાવવાની દિશામાં સેવા આપવા ચાહતા હોવ તો અમારા મોબાઈલ નંબર 8980798583 ઉપર સંપર્ક કરશો…આવો દોસ્તો…આપણે સૌ સાથે મળીને આપણા સૌના પ્રિય અને વિઝનરી લીડર એવા આપણા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ માનનિય શ્રી સી. આર. પાટીલ સાહેબનું વિધાનસભા 2022 વિઝન-182 સિદ્ધ કરીએ….?!!!
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના એક કરોડ તેર લાખ કાર્યકર્તાઓ પ્રતિ સપ્તાહ રજાના દિવસે એટલે કે દર રવિવારે માત્ર બે કલાક સવારે 10 થી 12 વાગ્યા સુધી પોત પોતાના વિસ્તારમાં સરકારની યોજનાઓ જેવી કે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, માં અમૃતમ યોજના, આયુષ્યમાન ભારત યોજના, કુંવરબાઈનું મામેરું યોજના (લગ્ન સહાય), આત્મનિર્ભર લોન યોજના, અકસ્માતમાં 50 હજાર સહાય યોજના, કૃષિ સહાય યોજનાઓ, પાલક માતાપિતા (અનાથ બાળકો માટે) યોજના, માનવ ગરિમા યોજના, મુદ્રા લોન યોજના જેવી નાગરિકો સાથે સીધો સંપર્ક કરીને ફોર્મ આપી શકાય, ફોર્મ ભરવાની વિધિ સરળતાથી સમજાવી શકાય અને નિઃશુલ્ક ફોર્મ પણ આપી શકાય તેવી યોજનાઓના ફોર્મ લઈને પ્રતિ રવિવાર દરેક કાર્યકર્તા પોત પોતાના વિસ્તારમાં ઓછામાં ઓછા એક પરીવારને એ બધી યોજનાઓમાંથી લાગુ પડતી યોજનાનું ફોર્મ નિઃશુલ્ક આપી તે ભરવામાં પણ સેવા આપી મદદરૂપ થાય…
આમ હવે 2022ની ચૂંટણી આડે અંદાજિત 800 દિવસ બાકી છે, એટલે કે બે વર્ષ જેટલો સમય, મતલબ આ 104 સપ્તાહમાં પ્રત્યે રવિવાર, માત્ર બે કલાક સમય ફાળવીને પ્રત્યેક કાર્યકર્તા માત્ર એક પરીવારને લાગુ પડતી કોઈપણ એક યોજનાનું ફોર્મ ભરાવી તેનો લાભ અપાવવા કટિબદ્ધ થશે તો પણ પ્રત્યેક કાર્યકર્તા 2022ની ચૂંટણી આડેના આ 104 સપ્તાહમાં પોત પોતાના વિસ્તારના 104 પરિવારોને લાભ અપાવી શકશે….અને હા, આ લાભ તેઓને સાવ મફતમાં તો નથી જ અપાવવાનો… જે પણ વ્યક્તિને આ લાભ અપાવો તેની પાસેથી વચન લેવાનું છે કે તે વ્યક્તિ પણ પોતાના જીવન દરમ્યાન તેની શક્તિ અને નોલેજ મુજબ ઓછામાં ઓછી બીજી એક વ્યક્તિને કોઈપણ રીતે મદદરૂપ થશે અથવા તો આવી જ કોઈ યોજનાનો લાભ અપાવશે…આનો અર્થ એ કે હવે પછીના સમયમાં કોઈપણ વ્યક્તિ તેને લાગુ પડતા કોઈપણ પ્રકારના સરકારી લાભોથી વંચિત તો નહીં જ રહે, ઉપરાંત એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેળવાશે, અને આ રીતે દેશની એકતા વધતા (ગુજરાતના આ મોડેલને દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરતા) અખંડ સ્વદેશ નવનિર્માણ વિઝન-2034 સિદ્ધ થવાની સાથે આપણો દેશ એટલે કે દેશની જનતા એક જ દિશામાં, એક જ વિચારધારા સાથે આગળ વધવાથી આપણા દેશને સુપર પાવર બનતા પણ કોઈ નહિ રોકી શકે….!!!
દેશ એટલે કોણ યાર?… દેશ એટલે દેશના લોકો…,કોઈપણ દેશ તે દેશની જનતાથી મજબૂત બને છે અને જે દેશના લોકોમાં આ રીતે એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેળવાશે તે દેશના લોકોમાં એકતા પણ કેળવાશે અને આ રીતે દેશના લોકો મજબુત બનશે, સુખી સંપન્ન બનશે તો દેશ પણ મજબૂત અને સુખી સંપન્ન આપોઆપ બની જશે…
અને માટે જ રાષ્ટ્રવાદી વિચારધારાયુક્ત ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા ભાઈઓ…આવો આપણે સૌ આજે પ્રણ લઈએ અને અખંડ ભારત રાષ્ટ્ર નિર્માણના આ મહાયજ્ઞમાં દેશના લોકલાડીલા અને વિઝનરી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ કંડારેલી કેડીએ ચાલી પોત પોતાની ફરજરૂપી આહુતિ આપવાની આ આયોજનબદ્ધ દિશામાં પ્રયાણ કરીએ…અને આ બાબતને લગતી મારા લાયક ક્યારેય પણ, કોઈપણ સેવાની જરૂર હોય તો મારા મોબાઈલ નંબર 8980798583 ઉપર સંપર્ક અથવા તો વોટ્સએપ મેસેજ કરી આભારી કરશો…મારી શક્તિ અને નોલેજ મુજબ હું આપને સેવા આપવા પ્રયત્ન કરીશ…
જય હિન્દ…ભારતમાતા કી જય…વંદે માતરમ…“
બ્યુરો રિપોર્ટ રતનસિંહ ઠાકોર બનાસકાંઠા
પાલનપુરના વોર્ડ નં.7ના ઢુંઢિયાવાડી પાણીના ટાંકા પાસે બનશે કોમ્યુનિટી હોલ?…..
Views 68