દિવાળી પર તમામ હિન્દુઓ પોતાના ઘરોને દિવડાથી શણગારે છે
ચાઇનીઝ લાઇટો અને કોરોનાના કારણે દિવસે દિવસે ઘટી રહી છે આ પરંપરાગત કોડિયાઓની માંગ
લોકોના ઘરોને પોતાના દિવાઓથી રોશન થતાં જોઈને આ પરિવારના મુખ પર રેલાય છે સંતોષનું હાસ્ય
ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આ દેશમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે અને તેમના તહેવારો પણ સાથે મળીને ઊજવતાં હોય છે. આ તહેવારોની ઉજવણીમાં પણ દેશમાં વસતા અલગ અલગ ધર્મના લોકો ક્યાંકને ક્યાંક જોડાયેલા હોય છે. બનાસકાંઠા જીલ્લામાં આવી જ કોમી એકતાની મિસાલ એક મુસ્લિમ પરિવાર પૂરી પાડી રહ્યો છે. આ મુસ્લિમ પરિવાર દ્વારા દિવાળીના તહેવાર પર દિવા બનાવવામાં આવે છે અને આ દિવા દેશ-વિદેશમાં વસતા હિન્દુઓ ખરીદે છે અને દિવાળીએ આ દિવડા પ્રગટાવીને પ્રકાશ ફેલાવે છે.
બનાસકાંઠા જીલ્લામાં આવેલા ડીસા તાલુકાના ઝેરડા ગામમાં રહેતા મોહમ્મદભાઈ સુમરાના પરિવાર અને આ પરિવારના સભ્યોનો પરંપરાગત વ્યવસાય માટીમાંથી દિવા બનાવવાનો છે. વર્ષો પહેલા પરંપરાગત રીતે આ પરિવાર માટીમાંથી દિવા બનાવતો હતો. પરંતુ સમય જતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો હતો અને બેન્કમાંથી લોન લઈને સાધન સામગ્રી વસાવીને કોડિયા બનાવવાનો નાનો બિઝનેસ શરૂ કર્યો હતો.
જોતજોતામાં જ આ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કોડિયા ગુજરાત સહિત દેશભરમાં મશહૂર થવા લાગ્યા હતા. મોટા શહેરોના વેપારીઓ આ મુસ્લિમ પરિવાર પાસેથી કોડિયા ખરીદીને તેને પેઈન્ટ કરીને વિદેશ મોકલે છે એટ્લે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતા આ માટીના કોડિયા દિવાળી દરમ્યાન સમગ્ર વિશ્વમાં જગમગી ઊઠે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ચાઇનીઝ લાઇટો અને કોરોનાના કારણે દિવસે દિવસે આ પરંપરાગત કોડિયાની માંગ ઘટી રહી છે. પચાસથી વધુ લોકોને રોજગાર આપી રહેલો આ કોડિયાનો બિઝનેસ અત્યારે નાનો છે.
પરંતુ સરકારે જે રીતે સ્વદેશી વેપારને વેગ આપવા માટે સ્ટાર્ટ અપ ઈન્ડિયા શરૂ કર્યું છે, તેના અંતર્ગત આ વેપારને પણ સહયોગ આપવામાં આવે તો એકવાર ફરી આ કોડિયા બનાવવાનો નાનો ધંધો અસંખ્ય લોકોને રોજગારી આપી શકે છે.
દિવાળી હિન્દુઓનો તહેવાર છે અને દિવાળી પર તમામ હિન્દુઓ તેમના ઘરોને દિવાઓથી શણગારતા હોય છે. ત્યારે આ જ દિવા એક મુસ્લિમ પરિવાર બનાવી રહ્યો છે.
દિવાળીના તહેવાર પર જ્યારે હિન્દુઓ આ મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા દિવડા તેમના ઘરોમાં પ્રગટાવે છે ત્યારે દિવડા બનાવનાર આ મુસ્લિમ પરિવાર ખુશ થતો હોય છે અને એજ બિન સાંપ્રદાયિક ભારતની નિશાની છે.
ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આ દેશમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે અને તેમના તહેવારો પણ સાથે મળીને ઊજવતાં હોય છે. આ તહેવારોની ઉજવણીમાં પણ દેશમાં વસતા અલગ અલગ ધર્મના લોકો ક્યાંકને ક્યાંક જોડાયેલા હોય છે. બનાસકાંઠા જીલ્લામાં આવી જ કોમી એકતાની મિસાલ એક મુસ્લિમ પરિવાર પૂરી પાડી રહ્યો છે. આ મુસ્લિમ પરિવાર દ્વારા દિવાળીના તહેવાર પર દિવા બનાવવામાં આવે છે અને આ દિવા દેશ-વિદેશમાં વસતા હિન્દુઓ ખરીદે છે અને દિવાળીએ આ દિવડા પ્રગટાવીને પ્રકાશ ફેલાવે છે.
બનાસકાંઠા જીલ્લામાં આવેલા ડીસા તાલુકાના ઝેરડા ગામમાં રહેતા મોહમ્મદભાઈ સુમરાના પરિવાર અને આ પરિવારના સભ્યોનો પરંપરાગત વ્યવસાય માટીમાંથી દિવા બનાવવાનો છે. વર્ષો પહેલા પરંપરાગત રીતે આ પરિવાર માટીમાંથી દિવા બનાવતો હતો. પરંતુ સમય જતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો હતો અને બેન્કમાંથી લોન લઈને સાધન સામગ્રી વસાવીને કોડિયા બનાવવાનો નાનો બિઝનેસ શરૂ કર્યો હતો.
જોતજોતામાં જ આ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કોડિયા ગુજરાત સહિત દેશભરમાં મશહૂર થવા લાગ્યા હતા. મોટા શહેરોના વેપારીઓ આ મુસ્લિમ પરિવાર પાસેથી કોડિયા ખરીદીને તેને પેઈન્ટ કરીને વિદેશ મોકલે છે એટ્લે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતા આ માટીના કોડિયા દિવાળી દરમ્યાન સમગ્ર વિશ્વમાં જગમગી ઊઠે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ચાઇનીઝ લાઇટો અને કોરોનાના કારણે દિવસે દિવસે આ પરંપરાગત કોડિયાની માંગ ઘટી રહી છે. પચાસથી વધુ લોકોને રોજગાર આપી રહેલો આ કોડિયાનો બિઝનેસ અત્યારે નાનો છે.
પરંતુ સરકારે જે રીતે સ્વદેશી વેપારને વેગ આપવા માટે સ્ટાર્ટ અપ ઈન્ડિયા શરૂ કર્યું છે, તેના અંતર્ગત આ વેપારને પણ સહયોગ આપવામાં આવે તો એકવાર ફરી આ કોડિયા બનાવવાનો નાનો ધંધો અસંખ્ય લોકોને રોજગારી આપી શકે છે.
દિવાળી હિન્દુઓનો તહેવાર છે અને દિવાળી પર તમામ હિન્દુઓ તેમના ઘરોને દિવાઓથી શણગારતા હોય છે. ત્યારે આ જ દિવા એક મુસ્લિમ પરિવાર બનાવી રહ્યો છે.
દિવાળીના તહેવાર પર જ્યારે હિન્દુઓ આ મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા દિવડા તેમના ઘરોમાં પ્રગટાવે છે ત્યારે દિવડા બનાવનાર આ મુસ્લિમ પરિવાર ખુશ થતો હોય છે અને એજ બિન સાંપ્રદાયિક ભારતની નિશાની છે.