સાંસદશ્રી રતનસિંહ રાઠોડના વરદહસ્તે નવ નિર્મિત સ્ટેટ વેર હાઉસ ખુલ્લુ મૂકાયું.

Views 56

પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ ના સાંસદશ્રી રતનસિંહ રાઠોડના વરદહસ્તે આજે ગોધરા તાલુકાના અબ્રાહમ પટેલના મુવાડા ખાતે નવ નિર્મિત સ્ટેટ વેર હાઉસ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. કોવિડ સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે યોજાયેલ આ કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે આ નવનિર્મિત વેર હાઉસ જિલ્લામાં પુરવઠા વિભાગના આંતર માળખાકીય સુવિધાઓને વધુ સુદ્ઢ બનાવશે.તેમજ અન્ન વિતરણની સમગ્ર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં ઉપયોગી બની રહેશે. સરકારી સેવાઓની ઉપલબ્ધિ સરળ અને ઝડપી બનાવવા હેતુ આ પ્રકારની સુવિધાઓમાં સતત વધારા કરવામાં આવશે તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે દરેક તાલુકામાં આ પ્રકારના ગોડાઉનમાં એફસીઆઈમાંથી આવતા અન્નનો જથ્થો કે જે ફેર પ્રાઈસ શોપ સુધી પહોંચાડવામાં આવે તે પહેલા સ્ટોર કરવામાં આવે છે. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, પ્રાંત અધિકારી-ગોધરાશ્રી વિશાલ સક્સેના તેમજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજપૂત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
 
બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *