ટીમ ઈન્ડિયા આવતા મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે
સૌરવ ગાંગુલીએ આ પ્રવાસને લઈને કર્યો ખુસાલો
નવા વોરિએન્ટનો પહેલો કેસ આફ્રિકામાં નોંધાયો હતો.
ગાંગુલીનો મોટો ખુલાસો
BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે હાલમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ હશે અને તેઓ કોવિડ-19ના નવા સ્વરૂપોના ઉદભવથી સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ઓમિક્રોન નામના કોવિડ-19ના નવા વેરિએન્ટના ફેલાવાને લઈને ચિંતા વધી રહી છે. તેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. ગાંગુલીએ એક કાર્યક્રમમાં કહ્યું, ‘અત્યાર સુધીની પરિસ્થિતિ અનુસાર આ પ્રવાસ થશે. અમારી પાસે હજુ પણ નિર્ણય લેવાનો સમય છે. પ્રથમ ટેસ્ટ 17 ડિસેમ્બરથી યોજાશે. અમે તેની તપાસ કરીશું.
ટીમ ચાર્ટર્ડ પ્લેન દ્વારા દક્ષિણ આફ્રિકા પહોંચશે
ભારત 3 ડિસેમ્બરથી મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામે બીજી અને અંતિમ ટેસ્ટ રમશે. ત્યારબાદ ટીમ ત્યાંથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં 8 અથવા 9 ડિસેમ્બરે જોહાનિસબર્ગ જવા રવાના થશે. ગાંગુલીએ કહ્યું, “ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા હંમેશા BCCIની પ્રથમ પ્રાથમિકતા રહી છે. આગામી દિવસોમાં શું થાય છે તે જોઈશું.
હાર્દિક પંડ્યા પર પણ આપ્યું નિવેદન
પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સમર્થનમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું છે કે તે સંપૂર્ણ ફિટનેસ મેળવીને ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવી લેશે. તેણે કહ્યું, ‘તે એક સારો ક્રિકેટર છે. તે ફિટ નથી, તેથી જ તે ટીમમાં નથી. તે યુવાન છે, મને આશા છે કે તે ઈજામાંથી સાજો થઈને વાપસી કરશે.
આફ્રિકા ક્યારેય જીતી શક્યું નથી
સાઉથ આફ્રિકામાં ભારતીય ક્રિકેટ ટીમના રેકોર્ડની વાત કરીએ તો આજ સુધી આ ટીમ ત્યાં ટેસ્ટ સિરિઝ જીતી શકી નથી. વિરાટ કોહલીની કપ્તાનીમાં જ્યારે આ ટીમ 2018માં સાઉથ આફ્રિકા ગઈ હતી ત્યારે તેણે શાનદાર પ્રદર્શન કરીને પરત ફરી હતી. ભારતીય ટીમ પણ ટેસ્ટ શ્રેણી જીતવાની ઘણી નજીક હતી, પરંતુ આ શ્રેણીમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે હવે ટીમ ઈન્ડિયા વધુ શક્તિશાળી છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સમગ્ર વિશ્વમાં પોતાનો ઝંડો લહેરાવી રહેલી વિરાટ સેના આ વખતે આફ્રિકન ટીમને હરાવીને પોતાનો રેકોર્ડ સુધારવા ઈચ્છશે.