પંચમહાલ જિલ્લામાં શામળદેવી ગામમાં છેલ્લાં પંદર થી વિસ દિવસ થી ભારે વરસાદને કારણે પડેલું ઝાડ હાલ પણ એજ પરિસ્થિતિ માં જોવા મળ્યું.
કાલોલ MGVCL માં આ બાબતે વારંવાર જઈ રૂબરૂ કમ્પ્લેન લખાવી ,ટેલીફોનથી વાત કરવા છતાં કાલોલ MGVCL દ્ધારા આનો નિકાલ કરવામાં આવતો નથી. ગામલોકોનું કેહવું છે આ થાંભલો પણ નીચેથી ક્રેક થઈ ગયેલો છે.ઝાડ પોલ સાથે બાંધેલું છે કે પોલ ઝાડ સાથે એજ ખબર પડતી નથી. અહીંયાંથી કોઈ મોટું સાધન પણ અવર જવર કરી શકે નહીં.આ અગાઉ પણ મીડિયા દ્ધારા અને રૂબરૂ MGVCL માં જાણ કરવામાં આવી હતી.પરન્તુ હાલ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.તો સુ કાલોલ MGVCL ના ઓફિસર અને કર્મચારીઓ ઓફીસ માં બેઠાં બેઠાં પોલ પડે અને કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવે છે કે પછી કઈ કરવું નથી.ગામલોકોનું કેહવું છે કે જો આ નો યોગ્ય નિકાલ નહિ થાય તો આગળ રજૂઆત કરવામાં આવશે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ જિલ્લામાં શામળદેવી ગામમાં છેલ્લાં પંદર થી વિસ દિવસ થી ભારે વરસાદને કારણે પડેલું ઝાડ હાલ પણ એજ પરિસ્થિતિ માં જોવા મળ્યું.
Views 65