વડનગરમાં તા.12 અને 13મીએ ઉજવાશે મહોત્સવ
સંગીત બેલડી તાના-રીરીની યાદમાં વડનગરમાં તા. 12 અને 13ના રોજ ઉજવાનાર તાના-રીરી મહોત્સવ લોકો ઘેરબેઠાં પણ જઇ શકે તે માટે ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે જિલ્લાના મુખ્ય શહેરોમાં એલઇડી સ્ક્રિન લગાવાશે, જેના માધ્યમથી સંગીત રસિકો આ મહોત્સવ નિહાળી શકશે.
તાનારીરી સંકુલમાં તા.12મી સાંજે 7.30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થશે. બે દિવસ સંગીતનો જલસો જામશે. જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે કહ્યું કે, તાના-રીરી મહોત્સવમાં 1000 બેઠકની જ પરવાનગી માંગેલી છે. કલારસિકો આ કાર્યક્રમની મજા ઘરેબેઠાં પણ માણી શકે તે માટે કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક અને યુ ટ્યૂબના માધ્યમથી નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાશે. જિલ્લાના શહેરોમાં એલઇડી સ્ક્રિન મૂકાશે.