વેરા વિરોધમાં કાલે (શુક્રવારે) વિજાપુર બંધ નું એલાન. ( વેપારીઓએ સાથ સહકાર આપવો.)


          HBN TV NEWS તા ૨૬/૦૯/૨૦૧૯ વિજાપુર નગરપાલિકા એ ટેક્ષ વધારો કરેલ છે તેના વિરોધમાં વિજાપુર શહેરીજનોએ રેલી સ્વરૂપે નગરપાલિકામાં આવેદન આપવા જતાં નગરપાલિકાના દરવાજા આગળ વિજાપુર પોલીસે વિજાપુર શહેરીજન ના …


વેરા વિરોધમાં કાલે (શુક્રવારે) વિજાપુર બંધ નું એલાન. ( વેપારીઓએ સાથ સહકાર આપવો.) Read More

કપાસના વાવેતરમાં થતી ગુલાબી ઈયળના ઉપદ્રવ અંગે જરૂરી પગલા લેવા ખેતી નિયામકશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ


          HBN TV NEWS ભાવનગર તાઃ 2૦ : ચાલુ ખરીફ સિઝનમાં કપાસના આગોતરા વાવેતરમાં અમુક જિલ્લાઓમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળેલ છે. જેમાં નીચે મુજબના પગલા લેવા સબંધિત ખેડુતોને જિલ્લા ખેતીવાડી …


કપાસના વાવેતરમાં થતી ગુલાબી ઈયળના ઉપદ્રવ અંગે જરૂરી પગલા લેવા ખેતી નિયામકશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ Read More

ગાંધીનગર જિલ્લામાં ફ્રેન્કિંગ તથા ઇ- સ્ટેમ્પીંગના કુલ- ૨૨ સર્વિસ કેન્દ્રો કાર્યરત


          HBN TV NEWS ગાંધીનગર: શુક્રવાર: રાજય સરકાર દ્વારા નાગરિકોને સ્ટેમ્પ મેળવવામાં પડતી મુશ્કેલીઓ ઘ્યાને લઇ ઇ- સ્ટેમ્પિંગ રુલ્સ- ૨૦૧૪માં સુઘારો કરીને તા. ૧ ઓકટોબર, ૨૦૧૯ થી રાજયભરમાં નોન જયુડીશિયલ સ્ટેમ્પ …


ગાંધીનગર જિલ્લામાં ફ્રેન્કિંગ તથા ઇ- સ્ટેમ્પીંગના કુલ- ૨૨ સર્વિસ કેન્દ્રો કાર્યરત Read More

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજય માહિતી કમિશ્નરશ્રી આર આર વરસાણી દ્વારા મહેસાણા જિલ્લામાં માહિતી અધિકારની ૧૨ અરજીઓનો નિકાલ કરાયો


           HBN TV NEWS તારીખ ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯     વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી માહિતી અધિકાર અરજીનો નિકાલ થવાથી                                           અરજદારોના સમય અને ખર્ચમાં બચત થાય છે.-                                                    નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ    મહેસાણા  ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નરશ્રી આર.આર.વરસાણી દ્વારા મહેસાણા જિલ્લા  કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફન્સ માધ્યમથી ૧૨ અરજદારોની અપીલ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો  હતો.    માહિતી કમિશ્ન્રરશ્રી આર.આર.વરસાણી દ્વારા વિડીયો સંવાદના માધ્યમ થકી માહિતી આયોગ સમક્ષ  આવેલ અરજીઓનો નિકાલ પક્ષકારો,માહિતી અધિકારી અને અપીલ અધિકારીની હાજરીમાં કરાયો હતો.. આયોગ  સમક્ષની મહેસાણા જિલ્લાની દ્વિતીય અપીલો ખુબજ છણાવટ પૂર્વક અને બારીકાઈથી વિડીયો સંવાદના માઘ્યમથી  ચલાવવામાં આવી હતી.મોટા ભાગની અપીલોમાં આયોગે તટસ્થ વલણ અખત્યાર કર્યું હતું.            જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને તેમની તાબાની કચેરીઓનું દફતર અદ્યતન  અને વર્ગીકૃત રહેવા સુચન કરાયું હતું જાહેર માહિતી અધિકારીઓને માહિતી અધિકારના કાયદાની ગંભીરતા અને  અસરકારકતાની જાણકારી અપાઇ હતી..      અધિક નિવાસી કલેકટરશ્રી પી.બી.રાઠોડે જણાવ્યું હતું કે વિડિઓ કૉંફેરન્સના માધ્યમથી મહેસાણા જિલ્લાના  અપીલકર્તાઓના સમય અને ખર્ચમાં બચત થાય છે. સંબંધિત પક્ષકારો, અરજદારો, અધિકારીઓ, કર્મચારીઓને  માહિતી અધિકાર અધિનિયમની અમલવારી માટે રાજ્ય માહિતી કમિશનર કચેરી ગાંધીનગર સુધીના ધક્કા માંથી  મુક્તિ મળે છે જેનાથી  સમય અને આર્થિક ખર્ચનું ભારણ ઘટે છે.        મોટા ભાગની અપીલો અરજદારોની સંતોષજનક સહમતીથી નિકાલ કરવામાં આવી હતી.અરજદારોએ  રાજય માહિતી આયોગના વીડીયો કોન્ફરન્સના માધ્યમથી અરજદારોને ઘર આંગણે માહિતી અધિનિયમની  અમલવારી કરાવવાના સરાહનીય પ્રયાસને આવકાર્યા હતા.   માહિતી અધિકાર અધિનિયમ અપીલ સંબધિત કાર્યવાહીમાં મહેસુલ વિભાગની ૦૧,નગર સેવા સદનોની  ૦૫,પોલીસ વિભાગની ૦૨,શિક્ષણ વિભાગની ૦૧ અને પંચાયતની ૦૩ અપીલ મળી કુલ ૧૨ અરજીઓનો નિકાલ  કરાયો હતો.   વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ અરજી નિકાલમાં અપીલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા  …


વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજય માહિતી કમિશ્નરશ્રી આર આર વરસાણી દ્વારા મહેસાણા જિલ્લામાં માહિતી અધિકારની ૧૨ અરજીઓનો નિકાલ કરાયો Read More

મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં " નમામિ દેવી નર્મદે’’ મહોત્‍સવ યોજાયો મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બુટ્ટાપાલડી ગામે યોજાયો


            HBN TV NEWS તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯                          મહાનુભાવો અને સાધુસંતોની ઉપસ્થિતિમાં મા નર્મદાના નવીન નીરના વધામણા કરાયા  ગુજરાતનું સ્વપ્ન નર્મદા મૈયાએ સાકાર કર્યું છે.– ધનસુખભાઇ ભંડેરી ચેરમેન ગુ.મ્યુ.ફા.બોર્ડ  મહેસાણા   સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટી વટાવતાં  રાજ્ય સરકાર  દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરાઇ હતી. મહેસાણા જિલ્લા અને  ગ્રામ્ય વિસ્તારમાં જનભાગીદારી થકી મહોત્સવની ઉજવણી કરાઇ હતી  મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાનો મહોત્સવ મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી ગામે ગુજરાત  મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં  ઉપસ્થિત ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતુ કે દેશના પ્રધાનમંત્રીશ્રી અને મહેસાણા જિલ્લાના  સપૂત શ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદષ્ટીના પગલે આજે રાજ્યનું સ્વપ્ન સાકાર થયું છે.રાજ્યમાં  નર્મદા નીરના વધામણા કરવા ૧૦૦૦ થી પણ વધુ જગ્યાએ જનઉમંગ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે.   મહેસાણા જિલ્લાના સાંસદશ્રી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લો આજે મા  નર્મદાના મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. સાસંદશ્રી જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન અને  પ્લાસ્ટીક મુક્ત અભિયાનને વેગવંતુ બનાવા અપીલ કરી હતી   નર્મદા નદીના દરીયામાં વહી જતા પાણી પૈકી ૦૧ મીલીયન ઘનફુટ પાણીથી ઉત્તર  ગુજરાતના જળાશયો ભરાઇ રહ્યા છે. રૂ.૨૯૬૯.૫૫ કરોડના ખર્ચે નર્મદા નહેર આધારીત ઉદવહન  સિંચાઇ યોજના અને ઉત્તર ગુજરાત મહેસાણા જિલ્લાના જળાશયો તથા તળાવો ભરવા માટે  કાર્યરત કરાયા છે.મહેસાણા જિલ્લામાં વિવિધ પાઇપલાઇન યોજના તળે ધરોઇ ડેમ,સુજલામ  સુફલામ કેનાલ સહિત જિલ્લાના ૧૮૫ તળાવો નર્મદા નીરથી ભરવામાં આવેલ છે.ઉત્તર  ગુજરાતમાં વિવિધ ૧૨ પાઇપ લાઇન યોજના તળે ૭૭૨૦૦ હેકટર જમીનને સિંચાઇનો લાભ મળી  રહ્યો છે.  ઉત્તર ગુજરાતમાં વિવિધ પાઇપ લાઇન યોજના તળે ૩૦૭ ગામોના ૫૪૩ તળાવો  નર્મદાના નીરથી ભરાયેલ છે.આ ઉપરાંત સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલમાં પાણી આવવાથી  કુવાઓમાં પાણીના તળ ઉંચા આવ્યા છે અને વીજ વપરાશ ઘટ્યો છે.નર્મદા કેનાલ થકી મહેસાણા  જિલ્લાના ૩૫૦ ગામો અને ૦૩ શહેરોને પાણી પુરૂ પાડવા ૧૨૦ MLD  પાણી નર્મદા કેનાલમાંથી  …


મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં " નમામિ દેવી નર્મદે’’ મહોત્‍સવ યોજાયો મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બુટ્ટાપાલડી ગામે યોજાયો Read More

પંચાયતી રાજ ગુજરાત સરકાર જાણો અને જાગો……


           આપણી સામાજીક અને આર્થિક પ્રવૃતિઓમાં ગામોનું હંમેશા મહત્વ રહ્યુ છે. ગ્રામ પૌરાણિક સમયથી એકમ રહ્યુ છે. દેશની મોટાભાગની વસ્તી ગ્રામ વિસ્તારોમાં રહે છે. પૂ.મહાત્મા ગાંધીજીએ ગામને ગ્રામસ્વરાજ નું એકમ …


પંચાયતી રાજ ગુજરાત સરકાર જાણો અને જાગો…… Read More

નમામિ દેવી નર્મદે’’ મહોત્‍સવ મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી ગામે યોજાશે મહેસાણા જિલ્લામાં નગરપાલિકા અને ગામોમાં મહોત્સવની ઉજવણી કરાશે જિલ્લા કક્ષાના બુટ્ટાપાલડી ગામે યોજાનાર મહોત્સવમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડરી ઉપસ્થિત રહશે


           HBN TV NEWS સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક ૧૩૮ મીટરની સપાટી વટાવતાં આગામી ૧૭મી સપ્‍ટેમ્‍બરે  રાજ્ય સરકાર દ્વારા ‘‘જન ઉમંગ ઉત્‍સવ’’ – ‘‘નમામિ દેવી નર્મદે’’ મહોત્‍સવની ઉજવણી કરવામાં આવનાર  છે.જે અતંર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં આ મહોત્સવની ઉજવણી થનાર છે. મહેસાણા જિલ્લામાં આ  મહોત્સવની ઉજવણીને પગલે જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં  આવી હતી   ‘નમામિ દેવી નર્મદે’’ મહોત્‍સવ રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ કેવડિયા ખાતે યોજાનાર છે. આ  ઉપરાંત રાજ્યભરમાં નગરો, મહાનગરો, જિલ્‍લા, તાલુકા મથકો સહિતી ૧,૦૦૦થી વધુ સ્‍થળોએ  જનસમૂહો-સાધુસંતો-સેવા સંસ્‍થાઓ, સમાજ શ્રેષ્‍ઠીઓની સહભાગિતાથી વિશેષ કાર્યક્રમો ‘‘નમામિ દેવી નર્મદે’’  મહોત્‍સવની ઉજવણી થનાર છે  જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે  નર્મદા યોજનાના સરદાર સરોવર નર્મદા ડેમ તેની  પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી પણ વધુ ભરાતા સરકારશ્રી દ્વારા રાજ્ય વ્યાપી ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે.  મહેસાણા જિલ્લામાં આ યોજનોનો વિશેષ લાભ મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના જિલ્લા પંચાયત બેઠકના  એક-એક ગામ સહિત તમામ પાલિકાઓમાં આ  ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જિલ્લા કક્ષાનો  કાર્યક્રમ મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી ગામે ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૯ને મંગળવારે સવારે ૦૯-૦૦ કલાકે  યોજાનાર છે.જિલ્લા, તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્તા અને ગુણગાન કરતો આ ‘‘નમામિ દેવી  નર્મદે’’ મહોત્સવ  સાધુ સંતો સામાજિક સેવા સંસ્થાઓ શ્રેષ્ઠીઓ અને નાગરિકો  પ્રજાજનોની સહભાગિતાથી  ઉમંગ ઉલ્લાસભેર ઉજવવામાં આવનાર છે.  જિલ્લામાં નર્મદા અને કડાણાના વધારાના વહી જતા પાણીને સુજલામ સુફલામ કેનલામાં વાળી  જિલ્લામાં ૪૫ કિ.મી ચાર મીટર ઉંડી કેનાલને ભરવા સહિત ચાર નદીઓમાં જરૂરીયાત મુજબ પાણી આપી  રીચાર્જની કાર્યવાહી કરાઇ રહી છે.  જિલ્લામાં ૫૦ થી વધુ ચેકડેમો સહિત ૧૮૫ તળાવો કેનાલ થકી ભરાઇ રહ્યા  છે.જિલ્લામાં ચીમનાબાઇ સરોવર અને ધરોઇ ડેમમાં જરૂરીયાત પ્રમાણે પાણી ભરાઇ રહ્યું છે.   મહેસાણા જિલ્લા કક્ષા સહિત તમામ ગામોમાં ૧૭ સપ્ટેમ્બર મંગળવારે સવારે ૦૯-૦૦ કલાકથી  કાર્યક્રમની શરૂઆત થનાર છે.જેમાં નદી કાંઠા તળાવો ચેકડેમ જેવા જળસ્ત્રોની સાફ-સફાઇ,લોક માતા નર્મદા  નીરના વધામણાં,શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહા આરતી કરવામાં આવનાર છે.મહા આરતી બાદ વૃક્ષારોપણ  થકી ગ્રીન મહેસાણાની નેમને સાકાર કરવામાં આવશે જેમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલ  આમંત્રણ પાઠવેલ  …


નમામિ દેવી નર્મદે’’ મહોત્‍સવ મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી ગામે યોજાશે મહેસાણા જિલ્લામાં નગરપાલિકા અને ગામોમાં મહોત્સવની ઉજવણી કરાશે જિલ્લા કક્ષાના બુટ્ટાપાલડી ગામે યોજાનાર મહોત્સવમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડરી ઉપસ્થિત રહશે Read More

સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંગેની વિડીયો કોન્ફરન્સ યોજાઇ


           તારીખ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯                         મહેસાણા       સ્વચ્છતા હી સેવા માસ કોમ્યુનિકેશન કેમ્પેન અંતર્ગત વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી.જેમાં વિડીયો  કોન્ફરન્સ માધ્યમથી માર્ગદર્શન અને સુચનો કરાયા હતા. વિડીયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેકટરશ્રી  એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને  સ્વચ્છતા હી સેવા ઝુંબેશની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.   જેમાં જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે પ્લાસ્ટીક કચરાના સલામત નિકાલ અને વ્યવસ્થાપન માટે   ખાસ સુચનો કર્યા હતા. આ ઉપરાંત આ અભિયાનમાં ઔધોગિક એકમો,સહકારી સંસ્થાઓ,ધાર્મિક  સંસ્થાઓ,શૈક્ષણિક સંસ્થાઓ,સામાજિક સંસ્થાઓ,સેવાભાવી સંસ્થાઓ,એન.જી.ઓ સહિત વિવિધ  સંસ્થાઓને જોડવા જણાવ્યું હતું   બેઠકમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વધું વેગવંતી બનાવાવ જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ  અધિકારી એમ.વાય.દક્ષિણી,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી  નિયામક મેહુલ દવે સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા            


સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંગેની વિડીયો કોન્ફરન્સ યોજાઇ Read More

હોટલ,ઘાબા કે રેસ્ટોરન્ટ માલિકોએ રસોયા-વેઇટર રાખવાની જાણ પોલીસને કરવી


            HBN TV NEWS તારીખ ૦૫ સપ્ટેમ્બર ૨૦૧૯                                         મહેસાણા  મહેસાણા જિલ્લાના શહેરી,ગ્રામ્ય વિસ્તારના કોઇ પણ હોટલ,ધાબા કે રેસ્ટોરન્ટ માલિકે કોઇ પણ  વ્યક્તિને રાખે ત્યારે તેની જાણ સબંધિત પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફ તેમજ માહિતી સાથે કરવાનો આદેશ  અધિક જિલ્લા મેજીસ્ટ્રેશ્રી પ્રદિપસિંહ રાઠોડે કર્યો છે.આ આદેશનો 30 ઓકટોબર ૨૦૧૯  સુધી અમલમાં  રહેશે. આ હુકમોનો અનાદર કરનાર કે કરાવનાર સામે કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ગણાશે. આ  ઉપરાંત જિલ્લા પોલીસ દ્વારા પ્રવાસી સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે.આ પ્રવાસી સોફ્ટવેરમાં  માલિકોએ નોકરી રાખેલ તમામ બહારના જિલ્લા તેમજ અન્ય રાજ્યના મજુર,વેઇટર,રસોયા કે નોકરોની  ફરજીયાત ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે  માલિકોએ રસોયા કે વેઇટરનું નામ,સરનામું,તેની સાથેના માણસોની વિગત,માલિકનું નામ  સરનામું,અગાઉ જ્યાં કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું,મહેસાણા જિલ્લામાં ઓળખીતાના  નામ,સરનામા,તથા ટેલિફોન નંબર,વતનનું સરનામું વતનમાં રહેતા પરિવારની વિગત તેમજ મોબાઇલ  નંબર,પરણિત હોય તો સાસરીયાનું નામ,સરનામું મોબાઇલ નંબર,ચહેરા પર ઓળખની નિશાની વગેરે ૧૦  કોલમમાં ભરીને સંબધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી  પ્રદિપસિંહ  રાઠોડની મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે            


હોટલ,ઘાબા કે રેસ્ટોરન્ટ માલિકોએ રસોયા-વેઇટર રાખવાની જાણ પોલીસને કરવી Read More