કોઇ પણ વ્યક્તિને મજુર તરીકે રાખવા અંગેની જાણ સબંધિત પોલીસને કરવી..
HBN TV NEWS તારીખ ૦૫ સપ્ટેમ્બર ૨૦૧૯ કોઇ પણ વ્યક્તિને મજુર તરીકે રાખવા અંગેની જાણ સબંધિત પોલીસને કરવી મહેસાણા ત્રાસવાદને અંજામ આપવા માટે જિલ્લાના તેમજ પરપ્રાન્તના લોકોને જિલ્લાની ફેક્ટરીઓમાં તેમજ બિલ્ડીંગ બાંધકામમાં તથા ખેત મજુરો તરીકે આશરો મેળવતા હોય છે.આ પ્રકારથી આતંકવાદી કૃત્ય ન સર્જાય તેમજ શાંતિ અને સલામતી જળવાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડ એ આ તમામ મજુરોની માહિતી અને ફોટોગ્રાફ્સ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવા આદેશ કર્યો છે. મહેસાણા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના કોઇ પણ માલિક જ્યારે કોઇ પણ વ્યક્તિને મજુર તરીકે રાખવામાં આવે ત્યારે તે અંગેની જાણ પોલીસ સ્ટેશનમાં કરવી પડશે. આ અંગેનું જાહેરનામું 30 ઓકટોબર ૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામા ભંગ કરનાર સામે કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ગણાશે.માલિકો વિવિધ ૧૧ કોલમમાં મજુરનું નામ સરનામું,મજુરનું મહેસાણા જિલ્લાનું સરનામું,તેની સાથેના માણસોની વિગત,માલિકનું નામ સરનામું,બાંહેધરી આપનારનું નામ સરનામું,અગાઉ મજુર તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું,મહેસાણા જિલ્લામાં ઓળખીતાના નામ સરનામા,વતનનું સરનામું,પરણીત હોય તો સાસરીયાનું નામ સરનામું,ચહેરા પર કે શરીર પરનું નિશાન,લેબર કોન્ટ્રાકકટરનું નામ સરનામુ દર્શાવવાનું રહેશે જે તમામ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.
કોઇ પણ વ્યક્તિને મજુર તરીકે રાખવા અંગેની જાણ સબંધિત પોલીસને કરવી.. Read More