વિજયનગર પંથકમાં અત્યાર સુધીમાં 58 ટકા એટલે કે 20 ઇંચ જેટલો વરસાદ થઇ ચુક્યો છે. વિજયનગર અને તેના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે વિજયનગરની પોળો સ્થિત હરણાવ ડેમ અને નદીમાં નવા નીર ઉમેરાયા છે. સારા વરસાદને લઇ પોળોનું જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વહેતી નદી, ઝરણાં અને ખીલી ઉઠેલી વનરાજીને લઇ મીની કાશ્મીર જેવી પ્રકૃતિ ખીલી ઉઠી છે. ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
ગુજરાતના મીની કાશ્મીર ગણાતાં વિજયનગરની પોળો સોળે કળાએ ખીલી ઉઠી
Views 64