એશિયન ગેમ્સની કબડ્ડીની ઈવેન્ટમાં આ વખતે ભારતીય ટીમના પ્રભુત્વનો સંપૂર્ણ અંત આવી ગયો છે. ઈ.સ. ૧૯૯૦ના એશિયાડમા કબડ્ડીને દાખલ કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીના ઈતિહાસમાં આ પહેલી વખત છે કે, જ્યારે ભારતને કબડ્ડીમાં એક પણ ગોલ્ડ મળ્યો નથી. આજે રમાયેલી મહિલા કબડ્ડીની ફાઈનલમાં ભારતને ૨૪-૨૭થી ઈરાને હરાવ્યું હતુ. આ સાથે ભારતીય ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.
મેન્સ ટીમની હાર, અમ્પાયરનો ખોટો નિર્ણય જવાબદાર : કોચ
એશિયન ગેમ્સ વિમેન્સ કબડ્ડીની ફાઈનલમાં મળેલી હાર બાદ ભારતીય ટીમના કોચ એલ. શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું કે, ગઈકાલે મેન્સ ટીમની હાર મારા માટે જ નહિ, ખેલાડીઓ માટે પણ આઘાતજનક રહી. અમારા મનમાં તેની અસર પડી હતી, જેનો પ્રભાવ પણ જોવા મળ્યો. હવે અમારા પર ગોલ્ડ મેડલ જીતવાનું દબાણ વધી ગયું હતુ અને તે જ કદાચ હારનું કારણ બન્યું. ટેકનિકલ ભૂલો અને ડિફેન્સિવ છબરડા હારનું કારણ બન્યા. તેની સાથે સાથે અમ્પાયરે પણ ખોટો નિર્ણય આપ્યો હતો. ટૂંકમાં આજનો દિવસ અમારો નહતો.
કબડ્ડીમાં ભારતીય મહિલા ટીમને સિલ્વર
Views 68