PM મોદી ફરી એક વખત 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. તેમના આ પ્રવાસ માટે તૈયારીઓ શરુ થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદી આણંદ ખાતે 30 સપ્ટેમ્બરે અમુલના નવા ચોકલેટ પ્લાન્ટનુ ઉદઘાટન કરશે. એ પછી તેઓ રાજકોટ જશે. જ્યાં તેઓ ગાંધીજી ભણ્યા હતા તે આલ્ફ્રેડ સ્કૂલની મુલાકાત લેશે. આ સ્કૂલમાં 26 કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે. જેનુ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે.
ગત 23 ઓગસ્ટે પણ વડાપ્રધાન એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતે એક કાર્યક્રમમાં તેમણે 1.15 લાખ લોકો માટેના આવાસો અર્પણ કર્યા હતા.એ દિવસે તેમણે જૂનાગઢ અને ગાંધીનગરની પણ મુલાકાત લીધી હતી.
નરેન્દ્ર મોદી આણંદ ખાતે 30 સપ્ટેમ્બરે અમુલના નવા ચોકલેટ પ્લાન્ટનુ ઉદઘાટન કરશે. એ પછી તેઓ રાજકોટ જશે. જ્યાં તેઓ ગાંધીજી ભણ્યા હતા તે આલ્ફ્રેડ સ્કૂલની મુલાકાત લેશે. આ સ્કૂલમાં 26 કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યુ છે. જેનુ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે.
ગત 23 ઓગસ્ટે પણ વડાપ્રધાન એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતે એક કાર્યક્રમમાં તેમણે 1.15 લાખ લોકો માટેના આવાસો અર્પણ કર્યા હતા.એ દિવસે તેમણે જૂનાગઢ અને ગાંધીનગરની પણ મુલાકાત લીધી હતી.