રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ગુજરાતમાં દરેક પક્ષના રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે 1 વાગ્યે બંને નેતાઓ અમદાવાદ એરપોર્ટ આવશે. 1.30 વાગ્યે સિંધુભવન રોડ પર આવેલી હોટલ તાજ સ્કાયલાઈનમાં અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા પ્રેસ કોન્ફરન્સ કરશે. બપોરે 2 વાગ્યે તેઓ હિંમતનગર ટાઉન હોલના કાર્યક્રમમાં જશે.
AAPના ‘સુપ્રિમો’ ગુજરાત આવશે:કેજરીવાલ અને મનીષ સિસોદિયા
Views 142