ભૂપેન્દ્ર પટેલ પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામક કચેરીની મુલાકાતે, પેન્શનર્સ અને અરજદારો સાથે કર્યો સંવાદ

Views 119

વિધાનસભાનું અંદાજપત્ર સત્ર હાલ ચાલી રહયું છે. ત્યારે મંગળવારે બે બેઠકો હોવાથી મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભા કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાતે 28 ફેબ્રુઆરી 2023 મંગળવારના રોજ સાંજે પહોંચ્યા હતા.

અધિકારી/ કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરી
મુખ્યમંત્રીએ પોતાના આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં અચાનક જ ફેરફાર કરીને કોઇને જાણ કર્યા વગર સાંજના સમયે સીધા જૂના સચિવાલયના બ્લોક નંબર-18માં આવેલી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતિ મુલાકાતે પહોંચી ગયા હતા. તેમણે કચેરીના અધિકારી/ કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરીને કામગીરીની વિગતો મેળવી હતી.

પેન્શનર્સ અને અરજદારો સાથે સંવાદ કર્યો
મુખ્યમંત્રીએ આ કચેરીમાં પોતાના કામ અર્થે આવેલા વરિષ્ઠ પેન્શનર્સ અને અન્ય અરજદારો સાથે પણ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ ઓચિંતી મુલાકાતથી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીના કર્મયોગીઓ આશ્ચર્ય અનુભવવા સાથે મુખ્યમંત્રીના જનસંવેદનાપૂર્ણ અભિગમથી પ્રભાવિત થયા હતા.

મુખ્ય સચિવ સહિતના અધિકારી મુલાકાતમાં જોડાયા
મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાતની જાણ થતાં જ મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગના અગ્ર સચિવ ગુપ્તા, અગ્ર સચિવ મોના ખંધાર પણ પેન્શન પ્રોવિડન્ટ ફન્ડ નિયામક કચેરીએ પહોંચ્યા હતા અને મુલાકાતમાં જોડાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *