મહેસાણા એસટી વિભાગ હસ્તકના 11 ડેપોથી ભાદરવી પૂનમના અંબાજી મેળા નિમિત્તે 19 થી 25 સપ્ટેમ્બર સુધી 351 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
અંબાજી સ્થિત કૈલાસ ટેકરીથી મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા, પાટણ, કડી, કલોલ, બહુચરાજી, હારિજ, ચાણસ્મા તરફ આવવા માટે અલગ સ્ટેન્ડની વ્યવસ્થા કરાઇ છે. વિભાગીય માર્ગ પરિવહન અધિકારીએ કહ્યું કે, દશમથી પૂનમ સુધી 11 ડેપોથી અંબાજી રૂટમાં વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.મેળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, બસના છાપરા ઉપર બેસી મુસાફરી ન કરવા, સ્વચ્છતા જાળવવા યાત્રાળુઓને અપીલ કરાશે.
મહેસાણા ST વિભાગ અંબાજી મેળામાં 351 એકસ્ટ્રા બસો દોડાવાશે
Views 63