પેટ્રોલ-ડીઝલ-ગેસના વધતા ભાવથી નહીં મળે રાહત
નિષ્ણાતોએ આપી હાલના ટેક્સ યથાવત રાખવાની સલાહ.

પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના વધતા ભાવથી જલ્દી રાહત મળવાની નથી. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ઇન્ડિયા યુનિટના ભૂતપૂર્વ વડા, આલ્ફ્રેડ ચિપકેએ કહ્યું છે કે સરકારે ભારતની મેક્રોઇકોનોમિક પરિસ્થિતિઓ અનુસાર પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ જેવા ઇંધણ પર કરના વર્તમાન દરો જાળવી રાખવા જોઈએ.
IMF ઇન્ડિયાના ભૂતપૂર્વ વડાએ કહ્યું છે કે સરકારે કોરોનાવાયરસ સંકટ પછી દેશના લોકોની સ્થિતિ સુધારવા માટે લોકોને મદદ કરવાની જરૂર છે. સરકાર તેના માટે જરૂરી રકમ માત્ર પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ પર ઊંચો ટેક્સ લગાવીને જ એકત્ર કરી શકે છે.
આર્થિક સુધારાના સંકેતો

ચિપકેએ કહ્યું છે કે ભારતમાં ઇકોનોમિક રિકવરી નોંધાઇ રહી છે અને હાઈ ફ્રિક્વન્સી ઈન્ડિકેટર્સ અનુસાર, દેશના અર્થતંત્રમાં રોકાણ અને વપરાશમાં વૃદ્ધિ નોનડાઈ રહી છે. આ આગળ પણ ચાલુ રહેવાની આશા છે. ચિપકે કહ્યું છે કે દેશમાં કોરોનાવાયરસ રસીકરણની ઝડપ વધારવાથી સામાન્ય આર્થિક પ્રવૃત્તિને વેગ મળી શકે છે. આ જ સમયે ભારતની અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાણના જોખમો હજુ પણ છે.
વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઇંધણ પર લાદવામાં આવતો ટેક્સ તેમની આવકનો મુખ્ય સ્રોત બની ગયો છે. કોરોનાવાયરસ કટોકટી દરમિયાન સરકારને આનાથી ઘણી મદદ મળી છે અને તેના દ્વારા ગરીબ પરિવારોને મદદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર પેટ્રોલ પર ભારે ટેક્સમાંથી નાણાં એકત્ર કરીને હેલ્થ કેર જેવા ક્ષેત્રોમાં ઘણું કામ કરી શકે છે.
હાલનો ટેક્સ યથાવત રાખો
તેમણે સરકારને સૂચન કર્યું છે કે ઇંધણ પર ટેક્સના હાલના દર જાળવી રાખવા જોઇએ અને આનાથી ઓછી આવક ધરાવતા લોકોને મદદ કરવી જોઇએ. ઇંધણ પર ટેક્સના દર ઘટાડવાથી સમૃદ્ધ લોકોને મદદ મળે છે, તેથી સરકારે ઇંધણ પર ટેક્સના વર્તમાન દર ચાલુ રાખવા જોઈએ. દેશમાં મોંઘવારીના મુદ્દે, ચિપકેએ કહ્યું કે દેશના અર્થતંત્ર પર મોંઘવારીનું દબાણ આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેવાની ધારણા છે.