શું પગમાં આવી લીલી નસો ફુલી જાય છે? જાણો સારવાર

Views 68

તમારામાંથી કેટલાક લોકોના પગ અને સાથળની આસપાસ લીલી રંગની નસો જોઈ હશે જે સામાન્ય રીતે અવગણવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો આવું કેમ થાય છે અને આ નસોના લીધે દુખાવો પણ થઇ શકે છે. ચાલો તમને તેના કારણો અને સારવાર જણાવીએ. આ લીલી ગૂંચવાયેલી નસોને વેરિકોજ વેન્સ કહેવામાં આવે છે. જો આ સમસ્યાને અવગણવામાં આવશે તો નસો બ્લોક પણ થઇ શકે છે.

કેમ થાય છે નસોમાં બ્લોકેજ?
ખરેખર, નસો દ્વારા જ લોહી હૃદય સુધી પહોંચે છે. આ પ્રવાહને ઉપર લઈ જવા માટે નસોની અંદર વૉલ્વ છે. જ્યારે આ વાલ્વ નબળા થઈ જાય છે, ત્યારે લોહી યોગ્ય રીતે ઉપરની તરફ વહી શકતું નથી અને ક્યારેક તે નીચે તરફ વહેવા લાગે છે. આવી સ્થિતિમાં, નસો ફૂલી જાય છે અને લંબાઈમાં વધારો થવાને કારણે વાંકી-ચૂકી પણ થઇ જાય છે. જે વેરિકોજ વેન્સ છે. વેરિકોજ વેન્સ કિસ્સામાં, પગમાં દુખાવો, ભારેપણું લાગે છે, જે ખૂબ જ ખતરનાક અલ્સર પણ બની શકે છે.
કેમ થાય છે પગ પર વધુ અસર ?
નિષ્ણાતોના મતે, જો કે કોઈપણ નસ વેરિકોજ વેન્સ હોઈ શકે છે, પરંતુ તેની સૌથી વધુ અસર પગ અને અંગૂઠામાં થાય છે, જેના કારણે ઉભા રહેવાથી અથવા ચાલવાથી નસોમાં દબાણ વધે છે, જેના કારણે પગમાં સોજો આવે છે. આવી સ્થિતિમાં, તાત્કાલિક તબીબી તપાસ જરૂરી છે કારણ કે તે લોહીની ગંઠાઈ પણ હોઈ શકે છે જે નસોને બ્લોક કરી દે છે.
આ લોકોને વધારે ખતરો
વેરિકોઝની સમસ્યા વધતી ઉંમર, સ્થૂળતા, એક જ સ્થિતિમાં બેઠેલા લોકો, જન્મ સમયે સમસ્યા હોઈ શકે છે. પુરુષો કરતાં મહિલાઓને જોખમ વધારે છે. આ ગર્ભાવસ્થાના સમયે પણ થઈ શકે છે. મેનોપોઝથી ગર્ભનિરોધક ગોળીઓ અથવા હોર્મોનલ ફેરફારો થવાનું પણ કારણ હોઈ શકે છે.
વોરિકોજ વેન્સના લક્ષણો
લક્ષણો વિશે વાત કરીએ તો, સાથળ, પગ અથવા સ્નાયુઓમાં ખેંચાણ, અકડન અથવા દુખાવો, પગની ઘૂંટીમાં હળવો સોજો, લાંબા સમય સુધી બેઠા અથવા ઉભા રહેવાથી દુખાવો શરૂ થાય છે. નસોની આસપાસ ખંજવાળ શરૂ થાય છે.
સારવાર શું છે?
જો તમને આવા કોઈ લક્ષણો દેખાય છે, તો ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો. તમારી નસો તપાસો અને સૌથી અગત્યનું તમારી લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપો. વજનને નિયંત્રણમાં રાખો. ફરવા જાવ. શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી યોગ અથવા કસરત કરો. કારણ કે જો સમસ્યા વધી જાય તો તે સર્જરી પણ કરાવવી પડે છે.
– ખોરાકમાં વિટામીન એ વાળા આહાર ગાજર, સલજમ ખાઓ. વધુ ફાઈબર યુક્ત ખોરાક લો. લસણ ખાવું જોઈએ, તે ચેતાને સાફ કરે છે. ફળો, કઠોળ, લસ્સી, લીંબુ, નારંગી જેવા વિટામિન બી અને સીથી ભરપૂર ખોરાક લો.
– વધુ પાણી પીવો. મીઠું અને ખાંડનું ઓછું સેવન કરો. આઈસ્ક્રીમ, તળેલા, જંક-ફૂડ ન ખાશો. દારૂનું સેવન ન કરો.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *