ભારતીય જનતા પાર્ટી ડોકટર સેલ પંચમહાલ કાલોલ મંડળ દ્વારા ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ડોકટર સેલ ના ડૉ. યોગેશ પંડયા, ડો કિરણભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, માજી જીલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિહ જાદવ ની હાજરીમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ના ભાગરૂપે ડેરોલ ગામનાં કરુણાસાગર મંદિરે આરોગ્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું.જેમા હાજર ડોક્ટરો દ્વારા નિશુલ્ક તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી.આ કાર્યક્રમ માં સ્થાનિક કાર્યકરો અને જીલ્લા-તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યાં હતાં.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
ભાજપ દ્વારા “સેવા અને સમર્પણ સપ્તાહ” અંતર્ગત ફ્રી મેડિકલ કેમ્પ ડેરોલગામ મુકામે યોજાયો
Views 113