સિક્કિમ દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહ પટના પહોંચ્યા:બંનેના ગામમાં સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

Views 58

શુક્રવારે સિક્કિમના જેમામાં સેનાની એક ટ્રક ખાઈમાં પડી ગઈ હતી. જેમાં 16 જવાનો શહીદ થયા હતા. જેમાં ભોજપુર જિલ્લાના જવાન પ્રમોદ કુમાર અને ખગડિયાના જુનિયર કમાન્ડ ઓફિસર ચંદન કુમાર મિશ્રા સામેલ હતા. શનિવારે સાંજે બંને જવાનોના પાર્થિવ દેહને પટના એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમના પાર્થિવ દેહને બાય રોડ બંને જવાનોના ઘરે લઈ જવામાં આવશે.

ત્યાં તેમના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અકસ્માતની જાણ થતાં જ બંને જવાનોના ગામમાં શોકનો માહોલ છે.

ભોજપુરમાં માતા-પિતાને દીકરો શહીદ થયાની જાણ ન કરાઈ
દેશ પ્રત્યે પ્રેમની ભાવના ધરાવતા 30 વર્ષીય સેનાના જવાન પ્રમોદ કુમાર શુક્રવારે શહીદ થયા હતા. તે ઉદવંતનગર બ્લોકના ગજરાજગંજ ઓપી હેઠળના બામપાલી ગામના રહેવાસી હતા. પ્રમોદની પત્ની નિર્માદેવી અને તેમનો 8 વર્ષનો પુત્ર નક્ષ અને 6 વર્ષની પુત્રી નાયરા દેહરાદૂનમાં રહેતા હતા. માહિતી મળતા જ તે લોકો દેહરાદૂનથી પોતાના ગામ પહોંચી ગયા છે.

પ્રમોદ કુમારના મોટા ભાઈ અજય કુમાર સિંહે જણાવ્યું કે મારો ભાઈ દેશની સાથે પરિવારને પણ સાથે લઈને ચાલતો હતો. જેટલો તેને પોતાના પરિવારની ચિંતા હતી તેટલી જ તેને પોતાના દેશની પણ ચિંતા હતી. પોતાના નાના ભાઈ વિશે જણાવતા જ તે રડવા લાગ્યા.

તેણે કહ્યું કે અમે શુક્રવારે સાંજે ઘરે બેસીને સમાચાર જોઈ રહ્યા હતા. તે જ સમયે જોયું કે સિક્કિમમાં સેનાની એક ટ્રક ખાઈમાં પડી અને 16 જવાનો શહીદ થયા છે. એ જાણીને દુઃખ થયું ને રાત્રે સૂચના મળી કે મારો નાનો ભાઈ પણ અકસ્માતમાં સામેલ હતો. તે 20 દિવસ પહેલા તેની સાળાના લગ્ન માટે ગામ આવ્યો હતો. તે પછી સિક્કિમ ગયો હતો.

પ્રમોદ કુમારના 65 વર્ષીય પિતા ભૂતપૂર્વ આર્મી મેન કલક્ટર સિંહ અને તેમની માતા ગુલાબ ઝાડો દેવીને તેમના પુત્રની શહાદત વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. બંને વૃદ્ધ છે. તેમની તબિયત બગડવાનો ડર છે.

2011માં આર્મી જોઈન કરી બાળપણનું સપનું પૂરું કર્યું
અજયે જણાવ્યું કે મારો નાનો ભાઈ 2011માં સેનામાં જોડાયો હતો. તેણે 2006માં જૈન સ્કૂલમાંથી મેટ્રિક અને 2008માં જૈન કોલેજમાંથી ઇન્ટરમિડિયેટ કર્યું. ત્યારબાદ 2011માં (દાનાપુર બીઆરઓ) આર્મીમાં જોડાયા. હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂરી કરી અને પ્રથમ પોસ્ટિંગ અરુણાચલ પ્રદેશમાં થઈ હતી. હાલમાં તેઓ ઉત્તર સિક્કિમ 221 રેજિમેન્ટમાં તહેનાત હતા.

ખગડિયાના ચંદન મિશ્રા પણ શહીદ થયા
દુર્ઘટનામાં શહીદ થયેલા ખગડિયાના પરબત્તા બ્લોક સ્થિત દરિયાપુર ભેલવા પંચાયતના નયાગાંવ પચખુટ્ટીના નિવાસી દિનેશ મિશ્રાના પુત્ર ચંદન કુમાર મિશ્રા આર્મીમાં નાયબ સુબેદારની પોસ્ટ પર હતા. તેઓ સિક્કિમના લાચેનમાં પોસ્ટેડ હતા. શુક્રવારે સવારે થયેલા અકસ્માત બાદ તેમના સંબંધીઓને ચંદન કુમાર મિશ્રા ઘાયલ થયાના સમાચાર મળ્યા હતા. આ પછી તેમનો પરિવાર બપોરે સિક્કિમ જવા રવાના થયો હતો.

ચંદનના શહીદ થયાના સમાચાર મળતા જ આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. હવે તેમના માતા-પિતા શહીદ પુત્રના પાર્થિવ દેહની રાહ જોઈ રહ્યા છે. પિતાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ તેમણે પુત્ર સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે આવતા મહિને ઘરે આવી રહ્યો છે… પરંતુ તેના મૃત્યુના સમાચાર આવ્યા. આટલું કહેતાં જ તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા. તેમના વૃદ્ધ પિતા ખગડિયાના લાલ ચંદન કુમાર મિશ્રાના પાર્થિવ દેહની રાહ જોઈને બેઠા છે

ચંદન કુમાર મિશ્રાના પિતા દિનેશ મિશ્રા ઉર્ફે નકુલ પંડિતજીએ કહ્યું કે તેઓ દુર્ગા પૂજા માટે તેમની પત્ની અને બે બાળકો સાથે અહીં આવ્યા હતા. અગાઉ થયેલી વાતચીતમાં મકરસંક્રાંતિ નિમિત્તે ઘરે પરત ફરવાની વાત થઈ હતી. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. આટલું કહીને તે રડતાં રડતાં ચૂપ થઈ ગયા. તેમના સંબંધીઓ તેને આશ્વાસન આપી રહ્યા છે કે ચંદનને કંઈ થયું નથી. બધું સારૂં થઈ જશે.

શહીદ ચંદન કુમાર મિશ્રા વર્ષ 2001માં સેનામાં જોડાયા હતા. તેઓએ વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી આરાધ્યા કુમારી (10) અને પુત્ર મયંક કુમાર (8) છે. પત્ની ડોલી કુમારી તેમના પતિ સાથે સિક્કિમમાં આર્મી ક્વાર્ટરમાં તેમના બે બાળકો સાથે રહે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *