ગુમ થયેલા લોકોને પરિવારજનો સાથે મુલાકાત કરવવા ખોયા પાયા સ્ક્વોર્ડ
– તા.૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી યોજાનારા
તા. ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા ખાતે યોજનારા કાંકરિયા કાર્નિવલના રંગારંગ કાર્યક્રમમાં ડીસીપી, એસીપી, પીઆઇ,પીએસઆઇ અને મહિલા પોલીસ સહિત કુલ ૩૦૦૦થી પોલીસનો જડબેસાલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ગુમ થયેલા લોકોને પરિવારજનો સાથે મુલાકાત કરાવવા માટે પોલીસ દ્વારા ખોયા પાયા સ્ક્વોર્ડ બનાવવામાં આવી છે.
ગુમ થયેલા લોકોને પરિવારજનો સાથે મુલાકાત કરવવા ખોયા પાયા સ્ક્વોર્ડ ઃ ૧૫૦થી વધુ સાવતેચી રાખવા માટેના પોસ્ટર લગાડાયા
કાંકરિયા તળાવની ફરતે આજથી કાંકરિયા કાર્નિવલનો રંગારંગ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમ દરમિયાન હજારોની સંખ્યામાં નાગરિકો કાર્યક્રમ નિહાળવા માટે આવવાના હોવાથી પોલીસ વિભાગ દ્વારા બે ડીસીપી, પાંચ એસીપી, ૨૧ પીઆઇ, ૩૯ પીએસઆઇ અને મહિલા પોલીસ હોમગાર્ડ તથા એસઆરપીના ૨૦૦ જવાનો સહિત કુલ ૩૦૦૦થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જમાં ખિસ્સા કાતરુથી સાવધાન સહિત કાંકરિયાની ફરતે ૧૫૦થી વધુ બેનરો લગાડવામાં આવ્યા છે.