આજરોજ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીના નિવાસસ્થાને આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશ સમિતિના સભ્યોની વિસ્તૃત મિટિંગ મળેલ.

Views 125

આજરોજ મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીના નિવાસસ્થાને આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશ સમિતિના સભ્યોની વિસ્તૃત મિટિંગ મળેલ.

આ મિટિંગમાં શ્રી અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતની સમગ્ર ટીમને તેમજ તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવેલ અને જણાવેલ કે, “ગુજરાત ટીમે ફક્ત 20 દિવસની મહેનતમાં ગાંધીનગરમાં 21% વોટ મેળવીને નવો ઈતિહાસ સર્જ્યો છે.” વધુમાં તેઓએ જણાવેલ કે, આટલા ટૂંકા ગાળામાં કોઈપણ પ્રકારના સંસાધનો વગર 21% મત મેળવવા એ ફક્ત ભારતના જ નહિ પણ દુનિયાના ઈતિહાસમાં પ્રથમ ઘટના હશે.
 
ત્યારબાદ ગાંધીનગર ચુંટણી પહેલા, દરમ્યાન અને પછીની તમામ બાબતો અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલ હતી. આ ચર્ચા દરમ્યાન સંગઠનના ઉપસ્થિત તમામ સાથીઓએ ગાંધીનગર ચૂંટણીને લઈને તેમજ ભવિષ્યની રણનીતિ અંગે અરવિંદ કેજરીવાલ સમક્ષ પોતપોતાના વિચારો અને વિશ્લેષણ રજૂ કર્યું હતું.
 
ત્યારબાદ આમ આદમી પાર્ટીની 2022 સુધીની રણનીતિ તેમજ પ્રદેશથી લઈને બુથ સુધી સંગઠન નિર્માણ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી.
ઉપરોક્ત સમગ્ર મિટિંગ દરમ્યાન અરવિંદ કેજરીવાલજીએ તબક્કાવાર રીતે ગાંધીનગર ચુંટણી અંગે, દિલ્લીની ચુંટણીના અનુભવો અંગે, સંગઠનની હાલની સ્થિતી અંગે, ભવિષ્યના સંગઠન નિર્માણ અંગે તેમજ આમ આદમી પાર્ટીમાં ભવિષ્યમાં કામકાજની રણનીતિ અંગે ખુબ વિસ્તારથી પોતાનું માર્ગદર્શન આપ્યું હતું.
HBN TV NEWS
 આવાજ હિન્દુસ્તાન કી 
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *