આજે સમગ્ર ભારત દેશ ૧૫ મી ઓગષ્ટ નિમિતે ૭૭ મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે અંજાર શહેર મધ્યે આવેલ વીરબાળ ભૂમિ દાતાર ચોક મધ્યે આમ આદમી પાર્ટી અંજાર શહેર દ્વારા ધ્વજવંદન તેમજ આઝાદી માટે પોતાના પ્રાણ ની પરવા કર્યા વગર અંગ્રેજો સામે લડત લડી ભારત દેશ ને અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ કરવામાં આવેલ હતો તે વીર સપૂતો ને યાદ કરવામાં આવેલ હતા તેમજ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી તેમજ ભૂકંપ માં શહીદ થયેલ વિદ્યાર્થીઓ,શિક્ષકો,પોલીસ કર્મી તેમજ ક્લાર્ક ને યાદ કરી સ્મૃતિ સ્મારક પાસે પુષ્પ અર્પણ દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવેલ હતી.આ કાર્યક્રમ મા અંજાર શહેર પ્રમુખ હિતેશ સોની, યુવા વિગ પ્રમુખ અશ્વિન નાથ, દીપ ઠક્કર,રવિનાથ,મિત ઠક્કર, રવીનાથ, પૂર્વ પ્રમુખ હિરેન સોરઠીયા,અંકિત નાથ,સંજય ખોખાર,પ્રદીપ ગઢવી, નરેન્દ્ર દવે તેમજ જીતેન્દ્ર ચોટારા ઉપસ્થિત રહેલ હતા.