ધનતેરસે આ એક વસ્તુ ખરીદી લાવો, ઘરમાં આવતા જ કરી દેશે માલામાલ 

Views 137

ધનતેરસનો તહેવાર (Dhanteras) 2 નવેમ્બરે ઉજવવામાં આવશે. ભગવાન ધન્વંતરિનો જન્મ ધનત્રયોદશીના દિવસે થયો હતો અને તેથી આ દિવસને ધનતેરસ તરીકે પૂજવામાં આવે છે. દીપાવલીના બે દિવસ પહેલા આવતા આ તહેવારને લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ દિવસે ઘરેણાં અને વાસણોની ખરીદી ચોક્કસપણે કરવામાં આવે છે.


ભગવાન ધન્વંતરીની પૂજાનું મહત્વ
શાસ્ત્રો અનુસાર, ભગવાન ધન્વંતરી ત્રયોદશીના (Lord Dhanvantari worshiped on Dhanteras)- દિવસે સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા, તેથી આ દિવસને ધન ત્રયોદશી કહેવામાં આવે છે. ધન અને વૈભવ આપતી આ ત્રયોદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
કહેવાય છે કે સમુદ્ર મંથન સમયે અત્યંત દુર્લભ અને કિંમતી વસ્તુઓ ઉપરાંત શરદ પૂર્ણિમાના ચંદ્ર, કારતક દ્વાદશીના દિવસે કામધેનુ ગાય, ત્રયોદશીના દિવસે ધન્વંતરી અને કારતક માસની અમાસ તિથિએ ભગવતી લક્ષ્મી સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. આ જ કારણ છે કે દીપાવલીના દિવસે લક્ષ્મી પૂજા અને ત્રયોદશીના બે દિવસ પહેલા ભગવાન ધન્વંતરિનો જન્મદિવસ ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે.
ભગવાન ધન્વંતરી પિત્તળ ખુબ જ પ્રિય
ભગવાન ધન્વંતરીને નારાયણ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને ચાર હાથ છે, શંખ ચક્ર ધારણ કર્યુ છે. અન્ય બે હાથોમાં તે દવા સાથે અમૃતનું પાત્ર ધારણ કર્યુ છે. એવું માનવામાં આવે છે કે આ અમૃત કળશ પિત્તળનો બનેલો છે કારણ કે પિત્તળ ભગવાન ધન્વંતરિની પ્રિય ધાતુ છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી કોઈપણ વસ્તુ શુભ ફળ આપે છે અને લાંબા સમય સુધી રહે છે. પરંતુ ભગવાનને પ્રિય વસ્તુ પિત્તળની ખરીદી કરવામાં આવે તો તેર ગણો વધુ લાભ મળે છે.
 

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *