હીરાબા અનંત સફર પર, ભાવુક PM મોદીએ માતાને કાંધ આપી

Views 78

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસ્થાને પહોંચ્યા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું નિધન થયું છે. હીરાબાની અંતિમ યાત્રા નાનાભાઈ પંકજ મોદીના ઘરેથી શરૂ થઈ હતી. આ દરમિયાન ભાવુક પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. દરમિયાન PM મોદીના માતા હીરા બાએ આજે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હીરા બાને મંગળવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમની માતા હીરા બાને મંગળવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ સિવાય તેમને કફની પણ તકલીફ હતી. તેમને તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ તેમની માતાનું એમઆરઆઈ અને સીટી સ્કેન કર્યું હતું. ગઈકાલે હોસ્પિટલ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરંતુ આજે વહેલી સવારે તેનું નિધન થયુ હતું

PM મોદીએ કરી ટ્વિટ
પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરા બાને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ લખ્યું હતું કે જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહેશે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી. આ ઉપરાંત વધુમાં તેમણે લખ્યુ હતું કે શાનદાર શતાબ્દીનો ઈશ્વરની ચરણોમાં વિરામ, માં મેં હમેશા એ ત્રણ ત્રિમૂર્તિની અનુભુતિ કરી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગી અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનના પ્રતીકનો સમાવેશ રહ્યો છે.

સીએમ અને કેન્દ્રિય ગૃહમંત્રીએ આપી શ્રધ્ધાંજલી
પ્રધાનમંત્રી હિરાબાના અવસાન થતા રાજ્ય, કેન્દ્રના નેતાઓએ ટ્વિટ કરી શ્રધ્ધાંજલી આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી લખ્યુ હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ. આ ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી લખ્યુ હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદરણીય માતાજી હીરા બાના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. માતા એ વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક છે, જેને ગુમાવવાનું દુઃખ નિઃશંકપણે વિશ્વનું સૌથી મોટું દુઃખ છે.

સીએમ યોગીએ શ્રદ્ધાંજલિ આપી હતી
યુપીના સીએમ યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને પીએમ મોદીની માતાને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે ટ્વીટ કર્યું, માતા પુત્ર માટે આખી દુનિયા છે. માતાનું અવસાન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આદરણીય માતાનું અવસાન ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રી રામ દિવંગત પવિત્ર આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે. ઓમ શાંતિ!

જેપી નડ્ડાએ શોક વ્યક્ત કર્યો
હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદરણીય માતાના અવસાન પર ખૂબ જ શોક વ્યક્ત કરું છું. હીરા બાનું સંઘર્ષમય અને સદાચારી જીવન હંમેશા પ્રેરણારૂપ છે, જેમના સ્નેહ અને સત્યતાએ દેશને સફળ નેતૃત્વ આપ્યું. માતાની વિદાય એ એક અપુરતી ખોટ છે, આ શૂન્યતા ભરવી અશક્ય છે.

અંતિમ યાત્રામાં પરિવારના સભ્યો જ સામેલ થશે
હીરા બાના અંતિમ સંસ્કાર ગાંધીનગર સેક્ટર 30 સ્મશાનગૃહમાં કરવામાં આવશે. અંતિમ યાત્રામાં પરિવારના સભ્યો જ ભાગ લેશે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *