HBN TV NEWS
તારીખ ૦૫ સપ્ટેમ્બર ૨૦૧૯
કોઇ પણ વ્યક્તિને મજુર તરીકે રાખવા અંગેની જાણ સબંધિત પોલીસને કરવી
મહેસાણા
બિલ્ડીંગ બાંધકામમાં તથા ખેત મજુરો તરીકે આશરો મેળવતા હોય છે.આ પ્રકારથી આતંકવાદી કૃત્ય ન
સર્જાય તેમજ શાંતિ અને સલામતી જળવાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડ એ આ
તમામ મજુરોની માહિતી અને ફોટોગ્રાફ્સ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવા આદેશ કર્યો છે.
ઓકટોબર ૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામા ભંગ કરનાર સામે કલમ ૧૮૮ મુજબ શિક્ષાને
પાત્ર ગણાશે.
માલિકો વિવિધ ૧૧ કોલમમાં મજુરનું નામ સરનામું,મજુરનું મહેસાણા જિલ્લાનું
સરનામું,તેની સાથેના માણસોની વિગત,માલિકનું નામ સરનામું,બાંહેધરી આપનારનું નામ સરનામું,અગાઉ
મજુર તરીકે કામ કરેલ હોય તે માલિકનું નામ સરનામું,મહેસાણા જિલ્લામાં ઓળખીતાના નામ
સરનામા,વતનનું સરનામું,પરણીત હોય તો સાસરીયાનું નામ સરનામું,ચહેરા પર કે શરીર પરનું
નિશાન,લેબર કોન્ટ્રાકકટરનું નામ સરનામુ દર્શાવવાનું રહેશે જે તમામ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં
આપવાની રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું
છે.