યુપીમાં મહાગઠબંધનને લઈને ડખો પડ્યો છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ યુપીમાં લોકસભાની ચૂંટણી માટે ભેગા થઈને ચૂંટણી લડવાના કરેલા એલાનને લઈને હવે કોંગ્રેસ પણ હરકતમાં આવી છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યુ છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ સત્તાવાર રીતે કોઈ એલાન નથી કર્યુ. કોંગ્રેસ યુપીની તમામ 80 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા માટે તૈયાર કરશે.સપા અને બસપા વચ્ચે ગઠબંધનની વાત ખાલી અફવાહ છે.
આ પહેલા અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે 80 પૈકીની 71 બેઠકો પર ચૂંટણી લડવા માટે સંમતિ સધાઈ હોવાના અહેવાલો આવી ચુક્યા છે.
મહાગઠબંધન ના થાય તો કોંગ્રેસ તમામ બેઠકો પર યુપીની ચૂંટણી લડવા તૈયાર
Views 67