ભારતીય જનતા પાર્ટી ની શનિવારથી બે દિવસીય રાસ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઇ ગઇ છે. ચાર રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી પહેલા આયોજીત આ બેઠકમાં એસસી/એસટી એક્ટમાં સંશોધન બાદ જે હાલાત બન્યા છે, તેના પર ચર્ચા કરવામા આવશે. પાર્ટી નક્કી કરશે કે, આ મામલા પર વિપક્ષને ક્યાં પ્રકારે જવાબ આપવો અને જે ભ્રમની સ્થિતિ ઉભી થઇ છે તેની સાથે કેવી રીતે કામ લેવું. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પાર્ટી એનઆરસીને લઇ મોટા પાયે ચર્ચા કરી શકે છે.
- ભાજપા અધ્યક્ષ અમિત શાહની રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન મહામંત્રીયો સાથે બેઠક શરૂ
- રાષ્ટ્રીય પદધિકારીઓ સાથે મળતા પહેલાં અમિત શાહે આંબેડકરની પ્રતિમા પર ફૂલો અર્પણ કર્યા
- રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં થશે. જ્યા પાર્ટી નેતાઓની ચહેલપહેલ દેખી શકાય છે