સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામા ની સત્તા આપતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન દ્વારા વિરોધ સાથે મહેસાણા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને તલાટીઓને સોગંદનામા ની સત્તા આપેલ તે મોકૂફ રાખવા આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી.
બાર એસોસિયેશન ના પ્રમુખના જણાવ્યા મુજબ એક તરફ 6 માસથી કોર્ટ નુ કામકાજ ઠપ્પ છે તેવામાં વકીલો બેરોજગાર છે અને વકીલોની આજીવિકા નોટરી વ્યવસાય પર આધારિત હોઈ આર્થિક સ્થિતિ પર માઠી અસર પડશે.
જેથી વકીલોના હિતને ધ્યાન એ રાખ્યા વગર સરકારે વકીલોને પડ્યા ઉપર પાટુ માર્યા જેવો ઘાટ કર્યો છે. જેનો વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો.
સરકાર દ્વારા તલાટીઓને સોગંદનામા ની સત્તા આપતા વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
Views 58