મેઘમહેર:આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સીઝનનો માત્ર 15 ટકા જ વરસાદ થયો

Views 67

  • બચાવકાર્ય માટે NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમ ડિપ્લોય કરવામાં આવી
  • રાજ્યમાં કુલ-65 જળાશય હાઇ એલર્ટ ૫ર, વોર્નિંગ ૫ર-13 જળાશય
વેરાવળમાં પણ સાર્વત્રિક વરસાદ. - Divya Bhaskar
                                                                            વેરાવળમાં પણ સાર્વત્રિક વરસાદ.

ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ થયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 197 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં જૂનાગઢ, સુરત, રાજકોટ અને જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. ધોધમાર વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડિપ્રેશનની અસરને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, ગીર, સોમનાથ, દમણ, દાદરા નગર-હવેલી, અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 3 દિવસ રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં વરસાદનું સંકટ રહેશે યથાવત.

ઝોન પ્રમાણે અત્યાર સુધીના વરસાદની સ્થિતિ

 

ઝોનટકાઇંચ
કચ્છ75.0213.07
ઉત્તર ગુજરાત56.4115.9
મધ્ય ગુજરાત58.8618.7
દક્ષિણ ગુજરાત72.3441.61
સૌરાષ્ટ્ર84.2423.22
ગુજરાત71.2223.55
સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો વરસાદ.
           સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો વરસાદ.

આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં ત્રણ દિવસ જૂનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ, 20 સ્ટેટ હાઈવે સહિત 214 રસ્તા બંધ, એસટી બસોના 55 રૂટ બંધ કરાયા, 121 ટ્રિપ રદ કરાઈ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર,ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ થશે એવી આગાહી છે. 17 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુઘી ઉત્તર ગુજરાત તથા મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નદી-નાળાં છલકાયાં.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નદી-નાળાં છલકાયાં.

રાજ્યમાં કુલ-65 જળાશય હાઇ એલર્ટ ૫ર
સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76, 558 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 52.85 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 3,98 753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 05 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.

રાજ્યનાં 206 જળાશયમાં 3,98 753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ.
                                                 રાજ્યનાં 206 જળાશયમાં 3,98 753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ.

NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમ ડિપ્લોય કરાઈ
NDRFની કુલ 15 ટીમમાંથી 13 ટીમો ડિપ્લોય કરવામાં આવેલી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર-સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે. 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવેલી છે. ભટીંડા પંજાબથી આવેલી 05 ટીમ પૈકી 1- રાજકોટ,1-પોરબંદર,1- દેવભૂમિ દ્વારકા,2-જામનગર ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *