“બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ભૂતપૂર્વ ચેરમેને શ્રી ભરત ભગતે ચાર મહિના થી કોરોના સામે ની લડાઈ મા જંગ જીતી.”
આખી દુનિયા કોરોના ના ભરડા મા સળગી રહી છે તેમજ ભયભીત થઇ રહી છે આવી પરિસથિતિમાં દેશ અને રાજ્ય મા પ્રથમ કિસ્સો નજરે આવ્યો છે .
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ભૂતપૂર્વ ચેરમેને શ્રી ભરત ભગત તારીખ ૧૩/૦૪/૨૦૨૧ થી ૬/૮/૨૦૨૧ સુઘી સતત ICU મા રહેલ અને ૮ (આઠ) દીવસ કોમા મા રહીને કોરોના ને માત આપનાર શ્રી ભરત ભગત ના વીલ પાવર ને સલામ. આ દેશ ની પ્રથમ એવી ઘટના છે કે ૧૧૦ દીવસ સુધી વેલટીનેટર નો ઉપયોગ કરેલ. એમની પત્નિ પણ રાજસ્થાન હોસ્પિટલ મા ૬(છ) દીવસ ઓક્સીજન પર હતા તેમજ એમનો પુત્ર પણ ઘરે કોરોના ની સારવાર લેતો હતો. આવી ભયંકર કપરી પરિસ્થિતી મા પણ શ્રી ભરત ભગત કોરોના ને માત આપી ને ફરીથી તંદુરસ્ત થઈ ગયા છે. ગુજરાત ના તમામ વકીલો ની પ્રાથના , સગા સ્નેહીઓ ની સહાનુભૂતિ એ શ્રી ભરત ભગત ને બેઠા કર્યા છે અને અત્યારે એમના રોજીંદા જીવન માં આવી ગયા છે
.HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી