ગુજરાતના પ્રવાસે PM મોદી, મોઢેરા મોઢેશ્વરી માતાજીના મંદિરમાં કરી પૂજા અર્ચના

Views 221

  • સપનું આજે સાકાર થતું જોયું. અમારી જૂની શ્રદ્ધા અને નવી ટેક્નોલોજીનો નવો સંગમ અહીં દેખાય છે.મારા શબ્દો લખી રાખજો, જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ત્યાં ગાડી અને મેટ્રોના કોચ બનવા લાગ્યા.એ દિવસો દૂર નથી કે અહીં વિમાન પણ બનતા હશે. જાપાનવાળા ગાડી અહીં બનાવે અને અહીં બનાવેલી ગાડી જાપાન મગાવે.
મોઢેરા નરેન્દ્ર મોદી

મોઢેરા, મહેસાણા: 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. પછી પીએમ મોદી જાહેરસભાને સંબોધવા માટે મહેસાણામાં મોઢેરા (PM Modi in Modhera) પહોંચ્યા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે પણ દુનિયામાં સોલર એનર્જીની વાત થશે, ત્યારે સહુના મુખે મોઢેરા પહેલું નામ હશે. કારણકે મોઢેરા સોલર પાવર વિલેજ બનનારું સૌપ્રથમ ગામ છે. સોલર વિલેજ બનતાં લોકોને વીજળીના બિલમાંથી છુટકારો મળશે.

છેલ્લાં કેટલાંક દિવસોથી સમગ્ર દેશમાં સૂર્યગ્રામને લઈને મોઢેરા વિશે ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ કહે છે કે આપણે ક્યારેય વિચાર્યું પણ નથી કે આપણી આંખો સામે સપનું સાકાર થઈ શકે છે. સપનું આજે સાકાર થતું જોયું. અમારી જૂની શ્રદ્ધા અને નવી ટેક્નોલોજીનો નવો સંગમ અહીં દેખાય છે. મારા શબ્દો લખી રાખજો, જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ત્યાં ગાડી અને મેટ્રોના કોચ બનવા લાગ્યા. એ દિવસો દૂર નથી કે અહીં વિમાન પણ બનતા હશે. જાપાનવાળા ગાડી અહીં બનાવે અને અહીં બનાવેલી ગાડી જાપાન મગાવે.

નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બંને ભેગા થયા એટલે હવે વિકાસની ગતિ જબરદસ્ત વધી છે. અત્યાર સુધી એવું થતું હતું કે સરકાર વીજળી ઉત્પન્ન કરતી હતી અને લોકો ખરીદતા હતા. કેન્દ્ર સરકાર લોકો તેમના ઘરોમાં સોલર પેનલ લગાવે તે માટે પ્રયાસ કરી રહી છે. ખેડૂતો તેમના ખેતરોમાં વીજળી ઉત્પન્ન કરે છે. દેશમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા નાણાકીય મદદ આપવામાં આવી રહી છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, પહેલા મહેસાણાને વીજળી માટે વલખા મારવા પડતા હતા. ઘરમાં ટીવી કે પંખાના તો એ દિવસોમાં જમાના જ નહોતા. તેની સૌથી મોટી અસર દીકરીઓના શિક્ષણ પર પડતી હતી. મહેસાણાના લોકો ગણિત અને વિજ્ઞાનમાં એક્કો છે. વિકાસ કરવો હશે તો શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્ય વિના બધું અધૂરું છે, એટલે મહેસાણામાં આના પર વિશેષ ધ્યાન આપ્યું. તેમજ મહેસાણાવાસીઓને કહ્યું કે તમે આંખ બંધ કરીને મને આશીર્વાદ આપ્યા છે.

મને આવનારી પેઢીની ચિંતા હતી એટલે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે તાકાત લગાવી. મારું ગામડું સમૃદ્ધ થાય તો મારું ગુજરાત ક્યારેય પાછું ના પડે. પરંતુ હવે મોઢેરા ટૂરિઝમનું સેન્ટર બની જવાનું છે. સુજલામ સુફલામ યોજના માટે ખેડૂતોએ જે જમીન જોઈતી હતી તે અમે આપી છે. આજે ગુજરાતમાં વિકાસ દેખાઈ રહ્યો છે. અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં લોકો જાય છે તેના કરતા વધારે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સરદાર સાહેબના ચરણોમાં વંદન કરવા માટે આવે છે.

અહેવાલ કિરણ ગીરી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *