ટેન્ડર પ્રક્રિયા વિરુદ્ધ કામ કરનારા કોન્ટ્રાક્ટરો સામે પાલીકા દ્વારા યોગ્ય રીતે કાર્યવાહિ કરાઈ રહી છે – નગરપાલિકા પ્રમુખ
પંચમહાલ ના કાલોલ નગરપાલિકા ના હાલ ના બનાવેલા રોડ ના કામોમા ટેન્ડર ની શરતો મુજબ ના કામો નહિ કરાતા નગરજનો માં ભારે કચવાટ ફેલાયો હતો અને સોશીયલ મિડીયા પર પણ હલકી ગુણવત્તાના રસ્તાઓ બાબતે પાલિકા ઉપર લોકોએ રોષ વ્યક્ત કરેલ પાલિકા દ્વારા વરસાદને કારણે નુકશાન પામેલા કુલ ૨૬ સીસી રોડ ના રિસરફેસીંગ બાબતે અને ૯ કામો પૂર્ણ નહિ કરાતા સતીશ બિલ્ડર્સ કપડવંજ ને લેખીતમાં નોટિસો ફટકારી છે. અને તેઓ સામે કાયદેસર કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાશો પણ માંગેલ છે.
ઉપરાંત વલ્લભનગર થી ભાથીજી મંદિર તથા મહાલક્ષ્મી મંદિર મહેશનગર પટેલ પાર્ટી પ્લોટ અને ગોવર્ધન નાથજી મંદીર થી સ્મશાન સુધી ના ટેન્ડરની શરતો વિરુદ્ધ હલકી ગુણવત્તાવાળા રોડ કે જેમાં સૌથી વધુ નાગરિકોની અવરજવર રહેલી છે.
તેવા ૧૩ સીસી રોડ ના ઈજારદાર અંબર કન્સટ્રકશન ડીસા ને પણ ટેન્ડર ની જોગવાઈઓ મુજબ કામ પુર્ણ કરવા અને રસ્તાની ગુણવતા બાબતે ખુલાશો માંગતી નોટિસ આપી છે.
વધુમા આર બી ઠાકોર નામના વડોદરા ના ઈજારદાર ને પણ ૮ સી સી રોડ ના કામો વર્ક ઓર્ડર મૂજબ શરુ કરવા અને પબ્લીક ટોઇલેટ નું રીનોવેશન નું કામ વર્ક ઓર્ડર મૂજબ પુર્ણ કરવા નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે ખુલાશો માંગેલ છે.
રાજેશ્રી કન્સટ્રકશન નામના ઈજારદાર ને પણ કામો વહેલી તકે પૂર્ણ કરવા ની નોટિસ ફટકારી છે. કાલોલ નગરપાલિકા ના પ્રમુખ શૈફાલી ઉપાધ્યાય દ્વારા જણાવાયુ છે કે નગરજનો ની લાગણી સાથે અમો સહમત છીએ સરકારી નાણા નો કાલોલ ના વિકાસ માટે સંપૂર્ણ ઉપયોગ થાય અને ટેન્ડર મુજબ યોગ્ય કામો કરાવવા અમો કટિબદ્ધ છીએ.
ત્યારે ટેન્ડર ની શરતો વિરુદ્ધ ના કામો થતા ઘણા બધા રસ્તા ઉપરથી કપચી રેતી ઉખડી ગયેલ છે અને ખાડા પડી ગયા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અમો એ સંબધિત કોન્ટ્રાકટરો ને લેખીત નોટિસો આપી છે અને તેઓનો કોઈ જવાબ ન મળતા પુનઃ નોટિસ આપી ખુલાશો માંગેલ છે.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ