કાલોલ તાલુકાના બોડીદ્રા ગામના યુવાનોએ આવા કોરોના મહામારીમાં પણ અંબાજી જઈ માં અંબેમાતાજી ના દર્શન કર્યાં.
છેલ્લા ઘણા વર્ષથી આ બોડીદ્રા ગામના રહીશો ભાદરવા મહિનામાં પોતાના ગામના બસસ્ટેન્ડ ઉપર આવેલા અંબેમાંના મંદિરે ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરી ધજા ચઢાવી અને પછી ભાદરવી પૂનમના દિવસે પગપાળા ચાલતાં પ્રવાસ કરીને લગભગ ૬૦-૭૦ લોકો ગામના ભેગા મળીને અંબાજી જઈને બાવન ગજની ધજા ચઢાવે છે પરંતુ આ વખતે કોરોના જેવી વૈશ્વીક સમસ્યાને કારણે ગામમાંથી પ્રતિનિધિરૂપે ગામના ૧૦-૧૨ ભક્તજનો જઈને અંબેમાતાજીના માસ્ક પહેરી અને નીતિ નિયમોનું પાલન કરી દર્શન કર્યા અને આ કોરોના મહામારીમાંથી જલ્દીથી આપણો ભારત દેશ બહાર આવે તે માટે સામુહિક પ્રાર્થના કરવામાં આવી..
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહલ)
કાલોલ તાલુકાના બોડીદ્રા ગામના યુવાનોએ આવા કોરોના મહામારીમાં પણ અંબાજી જઈ માં અંબેમાતાજી ના દર્શન કર્યાં.
Views 59