આજે વડાપ્રધાનશ્રી ધ્વારા ઘરોની માત્ર લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવા કરેલી અપીલ સંદર્ભે પ્રજાજોગ જરૂરી જાણકારી

Views 230

          રાજપીપલા, શનિવારઃ- વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (covid-19) ના સંક્રમણ સંદર્ભે દેશના વડાપ્રધાનશ્રીએ તા. ૫ મી એપ્રીલ,૨૦૨૦ ને રવિવારના રોજ રાત્રે ૯-૦૦ કલાકે ઘરોની માત્ર લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવા માટે કરેલી અપીલ સંદર્ભે પ્રજાજનોને જણાવવાનું કે, આ સમય દરમિયાન સ્ટ્રીટ લાઇટ, આવશ્યક સેવાઓ કે ઘરના અન્ય વીજ ઉપકરણો જેવા કે, ટી.વી., ફ્રીઝ અને એરકન્ડીશનરને બંધ કરવા માટે અપીલ કરવામાં આવેલ નથી. વોલ્ટેજ અને ફ્રીકવન્સીના વેરીએશન હેન્ડલ કરવા માટે તમામ તૈયારીઓ તંત્ર ધ્વારા થઇ ગયેલ છે, તેથી નાગરિકો આ બાબતે ચિંતામુકત રહે અને બધા વીજ ઉપકરણો યથાવત સ્થિતિમાં સામાન્યતઃ સતત વપરાશ કરતા રહે તેવી વ્યવસ્થા થયેલ છે. તેમજ ગ્રામ પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકાઓએ કાયદો અને વ્યવસ્થા માટે સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવી. હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓમાં લાઇટ ચાલુ રહેશે, તેમ નર્મદા જિલ્લા પ્રશાસન તરફથી જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *