HBN TV NEWS
તારીખ ૨૪ ઓગષ્ટ ૨૦૧૯
પર્યુષણના તહેવારના પગલે મટનની દુકાનો બંધ રાખવા આદેશ
મહેસાણા
પર્યુષણના તહેવારના પગલે ૨૬ ઓગષ્ટ ૨૦૧૯ થી ૦૨ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ
રાઠોડે રૂચીભંગ થાય,ધાર્મિક લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી પ્રવૃતિઓ પર પ્રતિબંધ
ફરમાવ્યો છે.જેમાં ગાય,આખલા,બળદ,પાડા,ભેંસ,પાડી,બકરા,વાછરડા વિગેરે કોઇપણ પશુની જાહેરમાં કતલ કરવી
નહિ કે તેના અવશેષો કોઇ શેરીમાં અથવા જાહેર સ્થળમાં દેખાય તે રીતે પ્રદર્શિત કરવા નહિ તથા પરવાનેદાર
મટનનો ધંધો કરતા બુચર્સ તથા દુકાનો બંધ રાખવા આદેશ કરેલ છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ
રાઠોડની અખબારી યાદીમાં જણાવાયું છે.