ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન નાં અધ્યક્ષ સ્થાને યોગ શિબિર યોજાઈ..

Views 129

યોગ સેવક શિશપાલજી દ્વારા યોગ શિક્ષકોને કરાવ્યો યોગાભ્યાસ

યોગ શિબિરમાં શીશપાલે યોગ શિબિરનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, કોરોના બાદ લોકોના જીવનમાં તણાવ, ચિંતા જેવી અનેક માનસિક તથા બી.પી., ડાયાબિટીશ, હાઈપર ટેન્શન સહિતની અનેક બિમારીઓ જોવા મળે છે. આવા સમયે યોગ થકી માનવીના તન-મનને જોડીને તેનામાં રહેલી શક્તિ વડે વ્યક્તિને તંદુરસ્ત બનાવવાનો મુખ્ય ઉદેશ્ય છે. યોગને લોકો જીવનનો એક ભાગ બનાવે અને ગામડાઓ થી લઈ શહેરભરના લોકો યોગમય બને તે માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.જે. વૉરાએ યોગને શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ ગણાવી હતી.
આ યોગ શિબિરમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ સહિત વિવિધ યોગ સાધકો, યોગ કોચ તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
અહેવાલ : સૈયદ  મુરતુજા  પાટણ
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *