આજે થાનગઢ કાઠી ક્ષત્રિય સમાજ અને રાજપુત કરણીસેના દ્વારા અમરેલી એસ. પી. ની કાઠી સમાજ ને ટાર્ગેટ કરી થતી કાર્યવાહી સામે આવેદનપત્ર આપવામાં આવેલ હતું
તેમાં મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે યુવાનો અને આગેવાનો જોડાયા હતા
અમરેલી જિલ્લામાં કાઠી સમાજ ને ટાર્ગેટ કરી પોલીસ પોતાનાં મનઘડત કાયદાઓ આ સમાજના યુવાનો ઉપર થોપી રહી છે જાણે કોઈ દેશદ્રોહી કે આંતકવાદી હોય તે રીતે ફીટ કરવામાં આવે છે ખરેખર આવા કોઈપણ ગુના મા આ યુવાનો સંડોવાયેલા નથી એમ છતાં રાજકીય ઈશારે પોલીસ આ કામ કરી રહી છે
આ બાબતે G. C. T. O. જેવા જે ગુના ખોટી રીતે પોલીસ દ્વારા લગાડવામાં આવેલ છે તેને રદ કરવા માટે આજે થાનગઢ તાલુકા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક આ બાબતે યોગ્ય કરવા માટે રજૂઆત કરેલ હતી
અમરેલી જિલ્લામાં એસ. પી. દ્વારા ફક્ત કાઠી સમાજ ને ટાર્ગેટ કરી થતી હેરાનગતિ બાબતે થાનગઢ મા આવેદનપત્ર આપ્યું..
Views 60