| આપણી સામાજીક અને આર્થિક પ્રવૃતિઓમાં ગામોનું હંમેશા મહત્વ રહ્યુ છે. ગ્રામ પૌરાણિક સમયથી એકમ રહ્યુ છે. દેશની મોટાભાગની વસ્તી ગ્રામ વિસ્તારોમાં રહે છે. |
|
| પૂ.મહાત્મા ગાંધીજીએ ગામને ગ્રામસ્વરાજ નું એકમ વર્ણવેલ છે. ગ્રામસ્વરાજ એટલે સંપૂર્ણપણે પોતાની વિશાળ ઇચ્છાઓ માટે પડોશીઓથી સ્વતંત્ર પરંતુ પરસ્પર એકબીજા પર આધારિત ગણતંત્ર. |
|
| ગુજરાત રાજયમાં પંચાયતી રાજ પ્રથમથી જ વિકેન્દ્રી કરણની દિશામાં એક મહત્વના પગલાં તરીકે અમલમાં આવેલ છે. હાલના પંચાયતી રાજને સુદ્રઢ કરવા માટે તેમજ વિકાસની યાત્રામાં ગ્રામ જનસમુદાય પણ સરકારની સાથોસાથ ખભેખભા મિલાવી વિકાસમાં સીધા ભાગીદાર બને તેવી સ્પષ્ટ નીતિ અને નેમ સાથે ગુજરાતમાં પંચાયતી રાજનું અમલીકરણ થઇ રહેલ છે. |
|
| બંધારણના ૭૩ માં સુધારાને આધિન હાલમાં ગુજરાતમાં પંચાયત એકટ અમલમાં આવેલ છે. જેને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ કહેવામાં આવે છે. જેના મારફતે રાજયમાં પંચાયતી રાજ વ્યવસ્થાનું સંચાલન અને નિયંત્રણ થાય છે. |
|
| ગુજરાત રાજયમાં ત્રિસ્તરીય પંચાયત વ્યવસ્થા અમલમાં છે. |
| ૧. | ગ્રામ પંચાયત | | ૨. | તાલુકા પંચાયત | | ૩. | જીલ્લા પંચાયત |
|
| ગુજરાત રાજયમાં ૩૩ જીલ્લા પંચાયતો, ૨૪૯ તાલુકા પંચાયતો અને ૧૪,૦૧૭ ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જયારે ૧૮,૫૮૪ રેવન્યુ વિલેજ છે. |
|
| ગુજરાત રાજયમાં ત્રિસ્તરીય પંચાયત માળખામાં નીચેની વિગતે કાર્યોની વહેંચણી કરવામાં આવેલ છે. |
|
| | | પંચાયતી રાજ | | | | ધર વપરાશ અને ઢોર માટે પીવાના પાણીની વ્યવસ્થા | | | ગામમાં રસ્તાની સફાઇ | | | સરકારી મિલ્કતની જાળવણી | | | ગામમાં આરોગ્ય વિષયક જાળવણી | | | ગામમાં દીવાબત્તી વ્યવસ્થા | | | ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ ફેલાવો વિગેરે | | | ગ્રામ્ય વિકાસનું આયોજન. | | | ગામમાં સીમના પાકની સંભાળ રાખવા બાબત. | | | ખેતીવાડી સુધારણા આયોજન |
| | | | તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવા રોગચાળો | | | નિયંત્રણની કામગીરી | | | ગ્રામ્ય માર્ગો બનાવવા તથા નિભાવણી | | | પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન | | | પંચાયતી રાજ | | | | તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન | | | સ્ત્રી કલ્યાણ યુવક પ્રવૃતિનો વિકાસ અને સહાય | | | પુર, આગ, અકસ્માત વિગેરે આકસ્મિક સંજોગોમાં મદદની કામગીરી |
| | | | જીલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃતિઓમાં નિયંત્રણ અને સહાય કામગીરી તદૃઉપરાંત રાજય સરકારની મહેસુલ, શિક્ષણ સહકાર, સિંચાઇ, પશુસંવર્ધન, કૃષિની તબદીલ થયેલ પ્રવૃતિઓનું જીલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ તથા પંચાયત ખાતાની પ્રવૃતિઓની જીલ્લા કક્ષાએ કામગીરી |
| | ગુજરાતમાં પંચાયતી રાજ બિનસરકારી સંગઠનોનો સહયોગ | | આપણી સામજીક અને આર્થિક પ્રવૃતિઓમાં ગામોનું હંમેશા મહત્વ રહ્યુ છે. ગ્રામ પૌરાણિક સમયથી એકમ રહ્યુ છે. દેશની મોટાભાગની વસ્તી ગ્રામ વિસ્તારોમાં રહે છે. મહાત્મા ગાંધીજીએ ગામને ગ્રામસ્વરાજ નું એકમ વર્ણવેલ છે. ગ્રામસ્વરાજ એટલે સંપૂર્ણપણે પોતાની વિશાળ ઇચ્છાઓ માટે પડોશીઓથી સ્વતંત્ર પરંતું અંદરો-અંદર એકબીજા પર આધારિત ગણતંત્ર | | | | પંચાયત શબ્દને બે ભાગમાં વિભાજીત કરી શકાય. પંચ અને આયત. પંચ શબ્દ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પણ પાંચની સંખ્યાના અર્થમાં વપરાય છે. પંચ ત્યાં પરમેશ્વરની પૌરાણિક ઉકિતમાં શ્રધ્ધા ધરાવે છે. વૈદિક કાળથી ગામને મૂળભૂત એકમ તરીકે ગણવામાં આવે છે. અથર્વવેદ અને ઋગ્વેદમાં પણ તેનો ઉલ્લેખ મળી આવે છે. ગંગા અને જમના નદી વચ્ચેના લોક વસવાટ વખતે પૃથુ રાજાએ પંચાયત પધ્ધતિ દાખલ કર્યાનું માનવામાં આવે છે. બ્રિટીશ સાશન દરમ્યાન પંચાયતોની સ્થાપનાના અધકચરા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. ૧૯૦૭ માં નિમાયેલા વિકેન્દ્રીકરણ અંગેના રોયલ કમિશને પોતાના અહેવાલમાં જણાવ્યુ છે કે, અગાઉ આ ગામડા વિપુલ પ્રમાણમાં સ્વાયત્તતા ભોગવતા હતા. |
|
|
|
| | ગુજરાતમાં પંચાયતી રાજ બિનસરકારી સંગઠનોનો સહયોગ | | રાષ્ટ્રીય ચળવળ દરમ્યાન ગ્રામ પંચાયતો અને નેતાઓના મંતવ્યો મુજબ સ્થાનિક સ્વરાજની યોજનાને આવકારતા ઉપરના સ્તર સુધીની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ચૂંટાયેલી હોય અને તેને પૂરતી નાણાંકીય મદદથી ટેકો આપવા માટે સરકાર વહેલાસર પગલા લેશે. | | | | ગુજરાત રાજયમાં પંચાયતી રાજની શરૂઆત બળવંતરાય મહેતા અભ્યાસ જુથની લોકશાહી વિકેન્દ્રીકરણ અર્થાત પંચાયતી રાજ વિશેની ભલામણોના અમલથી શરૂ થયેલ છે. ત્યારબાદ સમયાતંરે જુદી જુદી સમિતિઓ અને તેની ભલામણોના અમલ બાદ ગુજરાતમાં પંચાયતી રાજની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આવેલ છે. ભારતીય સંવિધાનના ૭૩ માં સુધારા બાદ ગુજરાતમાં પંચાયત અધિનિયમ-૧૯૯૩ અમલમાં આવેલ છે. જેમા ગુજરાત રાજયમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ તંત્રની પધ્ધતિ ચાલુ રાખવામાં આવી છે. | | વિકાસ અંગેનું તંત્ર | | | | ગુજરાતમાં પંચાયતી રાજના અમલ બાદ લોકશાહી વિકેન્દ્રીકરણની પાયાની બાબતનો અમલ શરૂ થયા બાદ રાજયમાં પંચાયતી રાજને ગ્રામ વિકાસનું મહત્વનું સાધન સ્થાપિત કરવા પંચાયતી રાજને સતત સુદૃઢ, સંગીન અને સશકત બનાવવાના સતત પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. ગ્રામ વિકાસ કાર્યક્રમના અમલમાં જે તંત્ર રોકાયેલુ છે તેને વિકાસ લક્ષી વહીવટ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસલક્ષી વહીવટનો યોજનાના અમલીકરણના તેમજ સરકાર દ્વારા હાથ ધરાયેલા સામાજીક, આર્થિક બદલાવના કાર્યક્રમ માટે જરૂરી માળખાકીય સંગઠન અને વલણના સંદર્ભે ઉલ્લેખ થાય છે. | | વિકાસલક્ષી વહિવટના મુખ્ય લક્ષણો | | ૧. | બદલાવલક્ષી | | ૨. | પરિણામલક્ષી |
|
|
|
| વિકાસલક્ષી વહિવટના મુખ્ય લક્ષણો |
| ૩. | બદલાવની પ્રક્રિયામાં નાગરિકોને સામેલ કરવાનું લક્ષણ | | ૪. | રાજકીય રીતે નહી પરંતુ વહિવટની દૃષ્ટિએ દૃઢ પ્રતિબધ્ધતા તેમજ | | ૫. | બદલાવની પ્રક્રિયાને સુધારવા અનુભવો અને પ્રયોગોમાંથી શીખવા અંગે ખુલ્લાપણુનો સમાવેશ થાય છે. |
|
| |
| આધુનિક લોકતંત્રમાં લોકોની સમસ્યાઓ અને આશાઓને ઓળખીને તેનો સુમેળભર્યો ઉકેલ ઝડપથી લાવી શકે તેવુ જાગૃત અને લાગણીશીલ વહીવટ તંત્ર અનિવાર્ય છે. ગુજરાતમાં પંચાયતી રાજ અને બિનસરકારી સંગઠનોના સહયોગથી પંચાયતી રાજ વ્યવસ્થા ગોઠવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ રાખેલ છે કે જેમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓ લોકોની વચ્ચે રહીને સ્થાનિક સહયોગથી કલ્યાણકારી સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવામાં મહત્વનો ફાળો પ્રદાન કરે. |
| |
| આમ, ઉપરોકત વિગતે જોતા ગુજરાત રાજયમાં રાજય સરકાર દ્વારા પંચાયતી રાજ મારફત ગ્રામ વિકાસ અને લોક કલ્યાણની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. તેમાં બિનસરકારી સંગઠનોનો સહયોગ આવકારદાયક અને ફળદાયી પરિણામો પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ મહત્વ ધરાવે છે તે સ્વીકારવામાં આવ્યુ છે. લોકકલ્યાણની અનેક યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. પરંતુ તેનો સંપૂર્ણ લાભ જનસમુદાય કે જે મહદ અંશે ગામડામાં વસે છે તેમના સુધી વધુને વધુ પહોંચે તે અંત્યંત આવશ્યક છે. |
| |
| આ વિકટ સમસ્યાના ઉકેલ માટે સર્વ પ્રથમ જરૂરી એ છે કે, સરકારી યોજનાઓ શી છે અને તેનો લાભ કઇ રીતે લઇ શકાય તેવી વ્યાપક જાણકારી સમાજના ગ્રામ વિસ્તારના સામાન્ય માનવીને સરળ રીતે ઉપલબ્ધ થાય તો આ યોજનાઓ પાછળ સરકારે કરેલ ફાળવણી સાચા અર્થમાં સાર્થક બને. રાજય સરકારશ્રીની પંચાયતી રાજ દ્વારા અમલમાં મુકવામાં આવેલ યોજનાઓના અમલીકરણમાં સહયોગી બનવા નિમંત્રિત કરવામાં આવે છે. |