માનનિય પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ હેઠળ માજી-સૈનિકો / તટરક્ષક દળના જવાનો, સ્વ. જવાનોના સંતાનો કે, જેઓને ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧૦+૨/ ડિપ્લોમામાં ૬૦% થી વધુ માર્ક્સ મેળવેલા હોય અને બી.આઇ, બી.ટેક, બી.ડી.એસ., એમ.બી.બી.એસ., બી.એડ., બી.બી.એ.,એમ.બી.એ., બી.સી.એ., એમ.સી.એ., એમ.સી.આઇ., એ.આઇ.સી.ટી., અને યુજીસી જેવા વ્યવસાય ડીગ્રી કોર્ષ માં ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ છે તેઓને માનનિય પ્રધાનમંત્રીશ્રી તરફથી સ્કોલરશીપ આપવામાં આવે છે. જે માટે કેન્દ્દીય સૈનિક બૉર્ડ, નવી દીલ્લી ની વેબ સાઈટ www.ksb.gov.in ઓન લાઇન અરજી કરવાની થાય છે. ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૧૯ છે. આ સ્કોલરશીપ મેળવવા ઇચ્છુક માજી-સૈનિકો / તટરક્ષક દળના જવાનો તથા સ્વ.જવાનો ના ધર્મ-પત્નીઓએ www.ksb.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરી ઓન લાઇન અરજી કરી શકે છે.
આ બાબતેમાં કેન્દ્દીય સૈનિક બૉર્ડ, નવી દિલ્લી ની વેબ સાઇટ www.ksb.gov.in અથવા જીલ્લા કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણાના ટેલિફોન નંબર ૦૨૭૬૨-૨૨૦૨૩૫ મારફત મળી શકશે.
માનનિય પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજના શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઓન લાઈન અરજી મોકલવા બાબત.
Views 104