અપહરણ ની ખોટી જાહેરાત કરી પોલીસને ગુમરાહ કરનાર ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.
.
અમદાવાદ શહેર નરોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. 11191035212204/2021 ઇ.પી.કો. કલમ 365, 507, 114 મુજબના ગુન્હાના ફરીયાદી શ્રી નરેશભાઇ બચુભાઇ પડયા ઉ.વ.58 રહે, ડી/402 આશિર્વાદ એવન્યુ, હરીદર્શન ચાર રસ્તા પાસે, નવા નરોડા, અમદાવાદ શહેરનાઓએ પોતાની ફરીયાદમાં એવી જાહેરાત કરેલ હતી કે, તા.27/12/2021 ના કલાક 9/30 વાગે પોતાનો દિકરો નામે રવિ જે ઘરે થી આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલાવા જાઉંછું તેમ કહી નીકળેલ હતો. ત્યારબાદ અલગ અલગ મોબાઇલ નંબરથી ફરીયાદીશ્રી તથા ફરીયાદીશ્રીની પત્નિ તેમજ રવિ ની પત્નિ હિરલના મોબાઇલ ફોન ઉપર મોબાઇલ કોલ્સ તેમજ ટેક્ષ મેસેજ તેમજ વોટસએપ કોલ સામેથી અજાણી વ્યક્તિ એ ફરીયાદીશ્રીના દિકરા ને મારી નાખવાની ધમકીઓ આપેલ હતી. જે સબંધે નરેશભાઇ પંડયા એ ઉપરોકત નંબર થી નરોડા પોલીસ સ્ટેશન ખાતે તા.૨૮/૧૨/૨૦૨૧ ફરીયાદ આપેલ હતી. ઉપરોકત ફરીયાદ સબંધે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય મંડલીક સાહેબનાઓએ ઉપરોકત ગુન્હો ગંભીર પ્રકારનો ગુન્હો હોય, તેમજ અપહ્યુત રવિ પંડયા મળી આવેલ ન હોય જેથી આ અપહ્યુત રવિ પંડયા ને શોધી કાઢી આ ગુન્હા ના જે કોઇ આરોપીઓ હોય તેઓ વિરૂધ્ધ તાત્કાલિક અસર થી કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ઉપરોકત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓની સુચના અનુસાર એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોર્ડ ના પો.ઇન્સ.શ્રી એચ.એમ.વ્યાસ નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ ટીમના પો.સબ.ઇન્સ.શ્રી જે.આર.બલાત તથા ટીમના માણસો સાથે ઉપરોકત ગુન્હા સબંધે પ્રથમ નરોડા પોલીસ સ્ટેશને તથા અપહ્યુત રવિ પંડયા ના ઘરે તેમજ બીજી જગ્યાઓએ તપાસ કરેલ. બાદ સચોટ માહિતી તેમજ ટેકનીક્લ સર્વેલન્સ આધારે તપાસ કરતાં જરૂરીયાત મુજબ તાત્કાલિક અસરથી પો.સબ.ઇન્સ.શ્રી જે.આર.બલાત તથા ટીમના માણસોને રાજસ્થાન તરફ રવાના કરવામાં આવેલ. તેમજ વાયરલેસ પો.સબ ઇન્સ. શ્રી કે.પી.પટેલ, પો.સબ.ઇન્સ.શ્રી એસ.એચ.રાઠોડ, પો.સબ.ઇન્સ.શ્રી ડી.આર.ચૌધરી નાઓને અત્રે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ટેકનીકલ સર્વેલન્સ માટે તેમજ ટીમના અન્ય માણસોને અમદાવાદ શહેર વિસ્તારમાં સી.સી.ટી.વી. ચેક કરવા મોકલી આપેલ. તેમજ આ કાર્યવાહી સબંધે પોલીસ ઇન્સ.શ્રી એચ.એમ.વ્યાસ નાઓએ સતત મોનીટરીંગ કરી માર્ગદર્શન આપતાં અપહ્યુત રવિ નરેશભાઇ પંડયા ઉ.વ.33 રહે, ડી/૪૦૨, આશિર્વાદ એવન્યુ, હરીદર્શન ચાર રસ્તા પાસે, નવા નરોડા, અમદાવાદ શહેરનો જયપુર એસ.ટી.ડેપો નજીકથી એકલો ફરતો મળી આવતાં તેને અત્રે લાવવામાં આવેલ છે. ઉપરોકત રવિ નરેશભાઇ પંડયા ઉ.વ.૩૩ રહે, ડી/૪૦૨, આશિર્વાદ એવન્યુ, હરીદર્શન ચાર રસ્તા પાસે, નવાનરોડા, અમદાવાદ શહેરની પુછપરછ કરતાં હકીકત જણાવેલ કે, તે પોતે તા.૦૧/૦૮/૨૦૧૧ અમદાવાદ થી ઇસ્ટ આફ્રિકા, તાનઝનિયા ખાતે ગયેલ હતો. બાદ સને ૨૦૧૩માં ભારત પરત આવેલ અને ફરીથી ૨૦૧૩માં તાનઝાનિયા ખાતે ગયેલ હતો બાદ સને ૨૦૧૫ માં ભારત આવેલ. સને ૨૦૧૭માં ફરીથી તાન્ઝાનીયા ગયેલ. બાદ ફરીથી સને ૨૦૧૯માં પરત ભારત આવેલ. બાદ ફરીથી ઓકટોબર/૨૦૨૦માં ફરીથી તાન્ઝાનિયા ગયેલ હતો. ઉપરોકત રવિ પંડયા તાન્ઝાનિયા ખાતે કોમોડીટી વસ્તુ ઓનો વેપાર કરતો હતો. તેમજ તાજેતર માં છેલ્લા વર્ષોમાં કોરોના મહામારી આવતાં રવિ પંડયાને ધંધાકીય નુકશાન થયેલ હતું. તાન્ઝાનિયા ખાતે પોતાનો જીવન નિર્વાહ પુરો થતો ન હોય, ભારત પરત આવવા પૈસા પણ ન હતા. જેથી પોતાના પિતા ને કહેતાં તેના પિતા નરેશભાઇ પંડયાએ દેવું કરી ભારત થી રૂ. ૨ લાખ ની સગવડ કરી મોકલી આપતાં રવિ પંડયા જુન/૨૦૨૧માં ભારત પરત આવેલ હતો. ઉપરોકત રવિ પંડયા ભારત આવી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. પરંતુ નજીવા પગાર ને કારણે જીવન નિર્વાહ બરાબર ચાલતું ન હતું. તેમજ દેવું કરી લીધેલ રૂ.૨ લાખ પરત આપવાના હોય, જે પણ ચુકવી શકેલ નહી. જેથી પોતે કંટાળી ગયેલ હતો, પોતે કોઇ અઘટિત પગલું ભરવાનો વિચાર કરી તા.૨૭/૧૨/૨૦૨૧ના રોજ આ
ધારકાર્ડમાં મોબાઇલ ફોન નંબર બદલવા માટે જાઉં છું તેમ કહી પોતે પોતાનું ઘર છોડી નીકળી ગયેલ હતો. શાહીબાગ નમસ્તે સર્કલ ખાતે થી લકઝરી બસ પકડી અમદાવાદ થી જોધપુર, જોધપુરથી જયપુર, જયપુર થી દિલ્હી, દિલ્હી થી જમ્મુ ગયેલ અને જમ્મુ થી દિલ્હી તેમજ દિલ્હી થી જયપુર આવેલ હતો. જયપુર બસ ડેપો ખાતે એકલો ફરતો પોલીસને મળી આવેલ છે. ઉપરોકત રવિ પંડયાએ પોતે પોતાના મોબાઇલ ફોનનું સીમ કાર્ડ બદલી વોટસએપ કોલ તેમજ ટેક્સ મેસેજ થી પોતાની પત્નિ ને મેસેજ કરી પોતેજ “રવિ પંડયા ને મારી નાખી દિધેલ છે” તેવી ખોટી જાહેરાત કરેલ હતી. જેથી રવિ પંડયા ની પત્નિ હિરલે તેમના સસરા નરેશભાઇ પંડયાને ઉપરોકત હકીકત ની જાણ કરતાં તેઓએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે રવિ પંડયા ના અપહરણ સબંધે ફરીયાદ લખાવેલ છે. ઉપરોકત ફરીયાદ સબંધે કહેવાતો અપહ્યુત રવિ પંડયા જે પોતે પોતાના માથે ઘણું દેવું થઇ જવાના કારણે મનસ્વી રીતે ઘરે ખોટા બહાના બતાવી તા.૨૭/૧૨/૨૦૨૧ના રોજ સવારે ઘરે થી ચાલ્યો ગયેલ હતો. પોતાનું અપહરણ થયેલ છે તેવી ખોટી જાહેરાત કરી અમદાવાદથી બસ બદલતો બદલતો જમ્મુ સુધી ગયેલ. પોતાની પાસે પૈસા ખુંટી જવાના થતાં જમ્મુ થી પરત બસ મારફતે જયપુર આવતાં પોલીસે તેને જયપુર એસ.ટી.ડેપો પાસેથી એકલો ફરતો ઝડપી પાડેલ છે. જેને વધુ તપાસ માટે નરોડા પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી , વૈશાલી સોની
અપહરણ ની ખોટી જાહેરાત કરી પોલીસને ગુમરાહ કરનાર ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ
Views 59